ભાયાવદરમાં અબોલ જીવો માટે 100 મણ ઘઉંના લાડવા બનાવ્યા

06-01-2025

Top News

લાડવામાં કૃમિનાશક દવા નાખવામાં આવી, શ્વાનો માટે 60 કિલો બિસ્કિટની વ્યવસ્થા

ભાયાવદરમાં પાટીદાર સમાજના ૬૦ યુવાનો દર વર્ષે ગાયોને સો મણ ઘઉના લાડવા બનાવીને ખવડાવે છે કૂતરાઓ માટે ૬૦ કિલો બિસ્કિટની વ્યવસ્થા કરાય છે આ પ્રવૃતિ છેલ્લા તેર વર્ષથી ચાલી રહી છે.

ભાયાવદરમાં પાટીદાર સમાજના ૬૦ યુવકો કે જેમણે ગાયોની સેવા કરવાનો ભેખ ધારણ કયી હોય તે પ્રમાણે છેલ્લા સતત ૧૩ વર્ષથી ઉત્તરાયણ નિમિતે ગાયો માટે ખાસ લાડવા બનાવી ને જાતે જ ખવડાવે છે. શેરી-ગલીમાં રખડતા શ્વાનો માટે ૬૦ કિલો બિસ્કિટની કિટો બનાવીને તેમને પણ ભોજન રૂપી ખવડાવામાં આવે છે. અને આ પાટીદાર સમાજની ઉત્સાહી યુવાનોકોઈ પાસે ફંડ ફાળો લેતા નથી.

બધા ભેગા મળીને સ્વ ખર્ચે આ સેવા ૧૩ વર્ષથી કરતા આવે છે.

દર વર્ષે ની જેમ આ વખતે પણ ૧૦૦ મણ ઘઉંના લોટમાંથી ગાયો માટે ખાસ લાડવા તૈયાર કરાયા છે.જેના માટે ૧૨ કટા ઘઉં, ૧૨ ડબા ગોળ, ૧૦ ડબા તેલ, ૧૦ કિલો તલ તેમજ ગાયો માટે ૨૦ મણ લિલી મકાઈ અને ૧૦ કપાસિયા ખોળ ની ગુણી વપરાય છે. અને આ લાડવામાં ખાસ પ્રકારની કૃમિની દવા નાખવામાં આવી હોય છે.કારણકે કોઈ અબોલ જીવોને કોઈ પણ જાતનો રોગ ના થાય.ત્યારે આ ૧૦૦ મણ ઘઉંના લાડવા બનાવા માટે ૪ થી ૫ કંદોઇ દ્વારા આ વસ્તુ બનાવવામાં આવે છે. અને તમામ કંદોઈ નિસ્વાર્થ સેવા આપે છે. અને આ સેવાભાવી ગૃપ જાતે ટ્રેક્ટરમાં ભરીને વિતરણ કરે છે.

 

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates