સરકારી અનાજની દુકાનમાં ગેરરીતિ બાદ 106 દુકાનદારોને 31.54 લાખ દંડ

07-01-2025

Top News

મજુરાની એક દુકાનનું લાયસન્સ રદ કરાયુ અને એક દુકાનનો પરવાનો 6 મહિના માટે મોકૂફ કરાયો

સુરત શહેરમાં સરકારી વ્યાજબી ભાવની દુકાનમાં ગેરરીતિની ઉઠેલી ફરિયાદો બાદ તપાસ અને અંતે પુરવઠા વિભાગ દ્વારા કરાયેલ કેસોમાં હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન છેલા એક મહિનામાં  ૧૦૬ સરકારી વ્યાજબી ભાવની દુકાનને ૩૧,૫૪ લાખનો દંડ ફટકારીને એક દુકાનનું લાયસન્સ રદ્દ કરીને એક દુકાનને છ મહિના માટે મોકૂક કરવાનો જિલ્લા પુરવઠા દ્વારા હુકમ કરાયો હતો. 

સુરત શહેર- જિલ્લામાં આવેલી સરકારી વ્યાજબી ભાવની દુકાનોમાંથી રેશનકાર્ડ ધારકોને ફાળવાતા અનાજમાં , ઓછુ આપવના, સ્ટોકમાં વધ-ઘટ અન્ય ગેરરીતી આચરનારા વ્યાજબી ભાવના દુકાનદારો સામે પુરવઠા તંત્ર દ્વારા દરોડા પાડીને કાર્યવાહી શરૂ કરી હતી. આ કાર્યવાહીમાં દુકાનદારોને નોટીસ આપ્યા બાદ સુનાવલી રાખવામાં આવે છે. અને સુનાવણી બાદ સુરત જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આખરી નિર્ણય લેવામાં આવે છે. છેલ્લા એક મહિનામાં કુલ ૧૦૬ તપાસ કેસોની સુનાવલી પૂર્ણ થયા બાદ જિલ્લા પુરવઠા અપિકારીએ ગેરરીતિ બદલ ૩૧.૫૪ લાખનો દંડ અને ૨.૨૭ લાખની ડિપોઝીટ જપ્ત કરાઇ હતી, જયારે મજુરાની એક દુકાનનું લાયસન્સ રદ કરાયુ હતું. અને એક દુકાનનો પરવાનો છ મહિના માટે મોકુફ કરાયો હતો.

 

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates