ખંભાળિયા નજીક ક્રૂરતાપૂર્વક લઇ જવાતા 11 પશુઓને બચાવાયા
05-02-2025

પશુ સેવકોએ શંકાસ્પદ મેટાડોર પોલીસને સોંપ્યું
ખંભાળિયા નજીકના હાઈ-વે પર મોડી રાત્રીના સમયે પસાર થતા એક આઈસર મેટ્રાડોરમાં ભેંસ સહિતના પશુઓને ક્રૂરતાપૂર્વક લઈને નીકળતા અહીંના પશુ સેવકોએ ઝડપી લઈ, અને આ પ્રકરણમાં વાહન ચાલક સહિત ત્રણ શખ્સોને તેઓના વાહનમાં ૧૧ પશુઓ સાથે પોલીસને સોંપ્યા છે.
ખંભાળિયા અને ઉત્તરપ્રદેશના ત્રણ શખ્સો પાસે આધાર-પુરાવા નહોતા, પણ ભરૂચની નર્મદા ડેરી ખાતે પશુઓ લઈ જતા હોવાની કેફિયત
ખંભાળિયાની એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ નામની પશુ સેવા સંસ્થાના કાર્યકરો તેમજ અન્ય ગૌસેવકાને મોડી રાત્રીના સમયે જાણ થઈ હતી કે અત્રે દ્વારકા-જામનગર માર્ગ પર આવેલી પાયલ હોટલ પાસેના રેલવે ફાટક ખાતેથી એક આઈસર વાહનમાં ભેંસસહિતના પશુઓને સંભવિત રીતે ક્તલખાનેલઈજવામાં આવી રહ્યા છે. આથી કાર્યકરો દોડી ગયા હતા અને પૂરઝડપે નીકળેલી જી.જે. ૩૭ટી ૫૨૬૩ નંબરની આઈસર ગાડીમાં પશુઓનેખીચોખીચ ભરીને લઈ જવામાં આવી રહ્યા હોવાથી ઊભું રખાવીને તેમાં જોતા સાત મોટી ભેંસ તથા ચાર નાના પાડરડા (પશુ) એમ કુલ ૧૧ પશુને લઈ જવાતા હતા. આ વાહનમાં પાણી કે ચારાની કોઈ વ્યવસ્થા રાખવામાં આવી ન હતી.
એટલું જ નહીં, પશુઓ ગીચ જગ્યામાં હલનચલન પણ ન કરી શકે તેવી પરિસ્થિતિમાં દોરડા વડે બાંધીને લઈ જવાતા હતા.
આ અંગે પશુસેવકોએ પૂછપરછ કરતા | આઈસરના ચાલક મહેશ રાણાભાઈ રાઠોડ (ઉ.વ. ૩૧, રહે. કુવાડીયા પાટીયા, ખંભાળિયા) અને તેની સાથે જઈ રહેલા બે ક્લીનર શકીલ ચુનાભાઈ શેખ (ઉ.વ. ૬૫) અને સાહનવાજ સકીભાઈ શેખ (ઉ.વ. ૨૪, | રહે આગરા ચિલ્લી પાડા, શાહગંજ, ઉત્તર પ્રદેશ) નામના આ શખ્સોની પાસે પશુઓ સંદર્ભે કોઈ પણ પ્રકારના ગ્રામ પંચાયતના દાખલા કે અન્ય જરૂરી પુરાવાઓ ન હતા. આ પશુઓ તેઓએ કલ્યાણપુર તાલુકાના ચુર-ચપ્પર, ખંભાળિયા તાલુકાના મોવાણ અને ભાડથર, સોનારડી, પીપરીયા, વિગેરે ગામોમાંથી જુદા જુદા આસામીઓ પાસેથી લીધા હોવાનું નામજોગ જણાવ્યું હતું. આ તમામ પશુઓ તેઓ ભરૂચમાં નર્મદા ડેરી ખાતે લઈ જવાતા હોવાનું જણાવ્યું હતું. આ સમગ્ર ઘટના અંગેપશુસેવકોએ ખંભાળિયા પોલીસને જાણ કરતા પોલીસે હાલ ત્રણેય આરોપીઓની અટકાયત કરી અને વાહન સાથે પશુઓનો કબજો પણ મેળવ્યો હતો.