રાજકોટમાં 14 દિવસમાં 1.17 કરોડ કિલો, 5,85,000 મણ ઘઉંના ઢગલા
15-04-2025

ગુજરાતમાં 43 લાખ ટન ઘઉંનાં મબલખ ઉત્પાદનના પગલે
ગુજરાતમાં ઈ.સ. ૨૦૨૪-૨૫ના વર્ષમાં ધંઉંનું પાંચ વર્ષનું સૌથી વધારે અને ગત વર્ષ કરતા આશરે ૪.૪૦ લાખ ટન વધુ સહિત ૪૩.૪૦ લાખ ટન જેટલું મબલખ ઉત્પાદન થયું છે જેના પગલે યાર્ડમાં ઘંઉની રેકોર્ડ આવક થઈ રહી છે. આજે રાજકોટ પાર્ડમાં એક દિવસમાં ૨.૭૫ લાખ મણ સહિત માત્ર બે સપ્તાહમાં ૧.૧૭ લાખ ક્વિન્ટલ એટલે કે ૧.૧૭ કરોડ કિલો એટલે કે ૧૧૭૦૦ ટન ઘઉંના ઢગલા થયા છે. ઉલ્લેખનીય છે કે હાલ સૌરાષ્ટ્રમાં ઘઉંની ધૂમ ખરીદી થઈ રહી છે, ગૃહિણીઓ મુખ્યત્વે ટુકડા ધંઉં બારે માસ ભરવા માટે ખરીદતા હોય છે.
ઘઉંના ભાવ ગત વર્ષની સાપેક્ષે સ્થિર, યાર્ડમાં રૂ।.૫૦૦થી ૬૦૦, લોકવનના મણે ૨૦થી ૩૦ ઓછા, જ્યારે બજારમાં રૂ।.૮૦૦ સુધીના
માર્ચના આરંભે જ ધંઉની ધોધમાર આવક શરુ થઈ ગઈ છે. શરુઆતમાં બે-ત્રણ દિવસે રોજ ૯૦૦૦ ક્વિન્ટલ જેટલા ઘઉંની આવક થતી હતી પરંતુ, તા.૧૨ માર્ચથી આવક એક સાથે આવવા લાગી છે અને વધવા લાગી છે.
તા.૧૨થી તા.૨૧ માર્ચ સુધીમાં ૧૨ દિવસમાં જ ૫.૫૮ લાખ મણ ઘંઉં ઠલવાયા હતા. એપ્રિલમાં પણ એક સાથે ઘંઉંના ઢગલા કરી દેવાનું વલણ જારી રહ્યું છે. જ્યારે આવક થાય ત્યારે આખા યાર્ડમાં ઠેરઠેર થંઉના ઢગલા નજરે પડે છે. એક અંદાજ મુજબ રોજ સરેરાશ આશરે રૂા.૨ કરોડનો વેપાર માત્ર ઘંઉનો થાય છે. સીઝનના એક માસમાં આશરે રૂા.૬૦ કરોડના ઘંઉનું ખરીદ-વેચાણ થયું છે. યાર્ડના સૂત્રો અનુસાર માર્ચ એન્ડીંગમાં પાર્ડ છ દિવસ બંધ રહ્યા બાદ તા.૧ એપ્રિલના એક દિવસમાં માર્કેટ યાર્ડથી ૨૫૦૦ વાહનોની લાંબી કતારો લાગી હતી જેમાં ૧,૭૫,૦૦૦ મણ ઘંઉં ઠલવાયા હતા. ચાર દિવસ બાદ ફરી ૨,૬૫,૦૦૦ મણ ઘંઉં ઠલવાયા અને આજે પોણા ત્રણ લાખ મણ એટલે કે ૪૪ લાખ કિલો ઘઉંની આવક થઈ હતી.
આ પહેલાં માર્ચના ૧૨ દિવસમાં ૫.૫૮ લાખ મણ ટૂકડા ઘઉંની આવકઃ સીઝનના એક જ માસમાં અંદાજે રૂા.૬૦થી ૭૦ કરોડના ઘઉંનું વેચાણ
ધંઉંની આવક વધવાની સાથે ઘંઉંના ભાવ પાર્કમાં ગત વર્ષની સાપેક્ષે યથાવત જળવાયા છે. શરુઆતમાં થોડા ઉંચા ગયા બાદ ભાવ રૂ।.૫૦૦થી ૫૭૫ વચ્ચે રહે છે, આજે ચિક્કાર આવક સાથે રૂ।.૪૯૮થી ૫૪૮ના ભાવે અને શનિ-રવિની રજા પૂર્વે શુક્રવારે રૂા.૪૭૨-૯૧૧ના ભાવે વેચાયા હતા. યોર્ડ પોતે નહગીં નફો નહીં નુક્શાનના પોરણે વિણાંટ કરેલા, વણેલા ઘંઉં રૂા.૬૮૦ના મણ લેખે વેચે છે જયારે બજારમાં ભાવ રૂ।.૬૫૦થી માંડીને રૂ।.૮૦૦ સુધીના ભાવે વેચાય છે.