ખંભાળિયા નજીક ભેંસ સહિતના 13 પશુઓને બચાવી લેવાયા

24-12-2024

Top News

પોલીસ સંકેતને અવગણી વાહન નાસી જતાં ટોલનાકે પકડી લેવાયું

ખંભાળિયા નજીકના હાઈ-વે માર્ગ પરથી ગત સાંજે ભેંસ તેમજ નાના પાડરડા ભરેલો એક આઈસર ટ્રક પશુ સેવકોએ અટકાવીને ચેકિંગ કરતા આ વાહનમાં કરતાપૂર્વક લઈ ૧૩ પશુઓ જોવા મળ્યા હતા. જેથી કાર્યકરોએ જવાતા ખંભાળિયા પોલીસને જાણ કરી, જરૂરી કરિયાદ નોંધાવી હતી.

કતલખાને લઇ જવાતા પશુઓ ભરેલું વાહન કબજે, એક શખ્સ ફરાર

આ સમગ્ર બાબત અંગે પોલીસમાં જાહેર ન હતી. આ પશુઓ ભાબતે ટ્રકના ચાલક કરવામાં આવેલી વિગત મુજબ અહીંની પશુ સેવા સંસ્થા એનીમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટના ગૌસેવક રવિભાઈ વકાતરને માહિતી મળી હતી કે અત્રે પોરબંદર રોડ પર આવેલી પાયલ નોટક નજીકથી પસાર થતા આઈસર ટ્રકમાં બીચોખીચ પશુઓ ભરીને થતોનોવાથી કાર્યકરો દ્વારા પૂરઝડપે જતા આ ટ્રકને અટકાવવાની કોશિશ કરીહતી. પરંતુ પુરમાદ વેગે આ આઈસર ટ્રક નાસી છુટ્યો હતો.

આ પછી કથિત રીતે પશુઓને કતલખાને કપાવવા માટે થઈ જવામાં આવતો હોવાની આશંકા પરથી ઉપરોક્ત આઈસર ટ્રકને અત્રે જામનગર માર્ગ પર આવેલા પરમપુર ટીલ ગેઈટ પાસે અટકાવીને ચેકિંગ કરવામાં આવતા તેમાં ૯ મોટી ભેંસ તેમજ ચાર નાના પાડરડા (પશુ) ભરેલા હોવાનું ખાન આવ્યું હતું. આઈસરમાં ઉપરોક્ત તમામ ૧૩૫શુઓને ટૂંકા દોરડા વડે ખીચોખીચ ભાંષી અને હલનચલન પણ ન કરી શકે તેવી સ્થિતિમાં જોવા મળ્યા હતા. એટલું જ નહીં, અટકમાં પશુઓ માટે ચારા કે પાણીની પણ વ્યવસ્થા હમીર નેભા આબલીયા (ઉ.વ. ૩૪, રહે. હંજરાપર, તા. ખંભાળિયા) ને પૂછવામાં આવતા ઉપરોક્ત પશુઓ તે હંજરાપર ગામે રહેતા પ્રવીણભાઈ દેવાયતભાઈ આંભલીયાના ચરેથી તેમની માલિકી પાસેથી લીધા હોવાનું હું તેમજ આ પશુઓને સુરત ખાતે રહેતા એક આસામીને આપવા માટે જતા હોવાનું જણાવ્યું હતું.

આ દરમિયાન આઈસર ચાલક હમીર આંબલીયાની બાજુમાં રહેલા ક્લિનર ક્યાંક નાસી છૂટયો હતો. આ સમગ્ર બાબત અંગે ગૌ સેવકોએ પોલીસને જાણ કરી ટ્રક તેમજ પશુઓનો કબજો પોલીસને સોંપ્યો હતો. આ સમગ્ર પ્રકરણ અંગે એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટના સેવાભાવી કાર્યકર દેશુરભાઈ ગગુભાઈ (ઉ.વ. ૩૦, એ. હરસિધ્યિ નગર) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે આઈસરના ચાલક હમીર નેભા આંબલીયાસ તેમજ સાથે ગાતો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates