પાંચ વાહનોમાંથી 19 પશુઓને કતલખાને જતા બચાવી લેવાયાં

19-03-2025

Top News

માળિયા મિંયાણા હાઈ-વે પરથી

મોરબી, રાજકોટ, ચોટીલા અને લીંબડી ગૌરક્ષકોની ટીમે માળિયા હાઈ-વે પરથી અમદાવાદ કતલખાને ધકેલાતા ૧૯ અબોલ જીવોને બચાવી લીધા હતા અને ૫ વાહન સહિતનો મુદામાલ પોલીસ મથકને સોંપવામાં આવતા પોલીસે વધુ તપાસ ચલાવી છે.

મોરબી, રાજકોટ, ચોટીલા અને લીંબડીના ગૌરક્ષોની ટીમે વોચ ગોઠવી અબોલ જીવોને બચાવ્યા

ગૌરક્ષકોની ટીમને બાતમી મળી હતી, કે કચ્છથી કતલના ઈરાદે અબોલ જીવ ભરીને પાંચ બોલેરો પીકઅપમાં પશુની તસ્કરી થવાની છે અને અમદાવાદ કતલખાને ધકેલવામાં આવી રહ્યા હોય. જેથી મોરબી, રાજકોટ સહિતના ગૌરક્ષકોની ટીમે વોચ ગોઠવી હતી અને માળિયા હાઈ-વે પરથી પાંચ બોલેરો પીકઅપ ગાડી પકડી લીધી

હતી. જેમાં ભેંસ અને મોટા પાડા જીવ નંગ ૧૯ ને ઘાસચારો કે પાણીની વ્યવસ્થા વગર ટૂંકા દોરડાથી હલનચલનના કરી શકે તેવી રીતે બાંધી હેરાફેરી કરતા મળી આવ્યા હતા. જેથી તમામ મુદામાલ માળિયા પોલીસને સોપવામાં આવ્યો હતો અને તમામ જીવોને બચાવી ખાખરેચી પાંજરાપોળમાં મુકવામાં આવ્યા છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates