ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 286 સિંહ અને 456 દિપડાનાં મોત
05-03-2025

સિંહોને રેડિયો કોલરીંગ કરી મોનિટરિંગ કરવામા આવે છે
ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ૨૮૬ સિંહ અને ૪પ૯ દિપડાના મૃત્યુ થયા છે.જેમાં ૨૨૮ સિંહ અને ૩૦૩ દિપડાના કુદરતી રીતે તેમજ ૫૮ સિંહ અને ૧૫૩ દિપડાના અકુદરતી રીતે મૃત્યુ નોંધાયા છે. મૃત્યુ પામેલા કુલ ૨૮૬ સિંહમાં બાળસિંહની સંખ્યા ૧૪૩ છે.
૨૨૮ સિંહ અને ૩૦૩ દિપડાના કુદરતી તેમજ ૫૮ સિંહ અને ૧૫૩ દિપડાના અકુદરતી રીતે મૃત્યુ થયા
ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં મૃત્યુ પામેલા સિંહ અને દિપડાની સંખ્યાને લઈને પુછાયેલા પ્રશ્નના જવાબમાં વનવિભાગ દ્વારા રજૂ કરાયેલી માહિતી મુજબ ૩૧-૧૨-૨૦૨૪ની સ્થિતિએ રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ૨૮૬ સિંહ અને ૪૫૬ દિપડાના મૃત્યુ થયા છે. સિંહ અને દિપડાના મૃત્યુને રોકવા માટે લેવાયેલા પગલાં અંગે સરકારે જણાવ્યું હતું કે સિંહોને રેડિયો કોલરીંગ કરી મોનિટરિંગ કરવામા આવે છે અને ચેકિંગનાકા પર સીસીટીવી કેમેરા મુકવામા આવ્યા છે તથા સાસણ ખાતે હાઈટેક મોનિટરિંગ યુનિટની સ્થાપના કરાઈ છે અને રાજુલા-પીપાવાવ રેલ્વે ટ્રેકની આજુ-બાજુ ચેઈનલિંગ ફેન્સિંગ કરવામા આવેલ છે.આ ઉપરાંત અભ્યારણ વિસ્તારના જાહેર માર્ગો પર સ્પીડ બ્રેકરો તથા સાઈનબોર્ડ મુકવામા આવ્યા છે.