શેત્રુંજી ડેમના 54 દરવાજા બંધ કરી દેવાયા, 450 ક્યુસેક પાણીની આવક-જાવક

5 કલાક પહેલા

Top News

મેઘરાજાના ખમૈયા અને ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતા

ભાવનગર જિલ્લાના પાલિતાણામાં આવેલો શેત્રુંજી ડેમ ચોમાસાના આરંભે જ ઓવરફલો થયા બાદ મેઘરાજાના ખમૈયા અને ઉપરવાસમાંથી પાણીની આવકમાં નોંધપાત્ર થયેલા ઘટાડાના કારણે ડેમના પ૯માંથી ૫૪ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે પાંચ દરવાજા ખુલ્લા રાખી ૪૫૦ ક્યુસેક પાણીની આવક સામે જાવક શરૂ રાખવામાં આવી હતી.

ઓવરફ્લો થયેલા પાંચ ડેમમાં આવક-જાવક, બે ડેમમાંથી હજુ પણ પાણી છોડાવાનું શરૂ

સૌરાષ્ટ્રના સૌથી મોટા શેત્રુંજી જળાશયમાં આવી રહેલા પાણીના ધસમસતા પ્રવાહના કારણે ગઈકાલે મંગળવારે બપોરે ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો. મધરાત્રિ સુધી પાણીની મોટા પ્રમાણમાં આવક શરૂ રહેતા ડેમના ૫૯ દરવાજા ખુલ્લા રખાયા હતા. ત્યારબાદ ઉપરવાસમાંથી પાણીની આવકની ગતિ ઘટવા માંડતા ડેમના દરવાજા બંધ કરવાનું શરૂ કરાયું હતું. આજે સાંજે સાત વાગ્યાની સ્થિતિએ શેત્રુંજી ડેમમાં ૪૫૦ ક્યુસેકની આવક શરૂ રહેતા ડેમના પાંચ દરવાજા એક ફૂટ જેટલા ખુલ્લા રાખી ૪૫૦ ક્યુસેક પાણીની જાવક શરૂ રાખવામાં આવી હતી.

જ્યારે ભાવનગર અને બોટાદ જિલ્લાના ઓવરફૂલો થયેલા અન્ય સાત પૈકીના પાંચ ડેમમાં પાણીની । આવક-જીવક શરૂ રહી હતી. જેમાં ખાંભડા ડેમમાંથી ૫૭૧ ક્યુસેક, સુખભાદર ડેમમાંથી ૬૧૮ ક્યુસેક, ભીમદાડ ડેમાંથી ૪૮૯ ક્યુસેક, રાજકી અને બગડ ડેમમાંથી ૧૮૩ ક્યુસેક આ ડેમમાંથી ૨૧૧ ક્યુસેક તેમજ માલણ ડેમમાંથી ૫૧૮ ક્યુસેક અને લીંબાડી ડેમમાંથી ૫૭૨ ક્યુસેકની માત્ર જાવક શરૂ હોવાનું સિંચાઈ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. વધુમાં આજે ડેમ વિસ્તારમાં પણ મેઘવિરામ રહ્યો હોવાનું ઉમેર્યું હતું.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates