ટ્રકમાં ખીચોખીચ ભરી કતલખાને લઈ જવાતા ૭૫ ૫શુઓને બચાવાયા
23-02-2025

ભુજથી જામનગર જતો ટ્રક કેશીયા પાસેથી કબજે
જોડિયાના કેશીયા ગામ પાસેથી પોલીસે એક પશુ ભરેલા ટ્રકને કબજે કરી તેમાં ખીચોખીચ ભરેલા ૭૫ પશુઓને મુક્ત કરાવી રાજકોટની પાંજરાપોળમાં મોકલી આપ્યા છે. જ્યારે ટ્રક તેમજ ટ્રકના ક્લીનરની અટકાયત કરી છે. તેમજ તેનો ચાલક ભાગી છૂટયો હોવાથી તેની શોધખોળ ચલાવાઈ રહી છે.
રાજકોટ-મોરબીના ગૌરક્ષકોની ફરિયાદના આધારે જોડિયા પોલીસે ટ્રક કર્યો કબજેઃ ચાલક ફરાર, ક્લીનરની અટકાયત
રાજકોટમાં કૃપા ફાઉન્ડેશન જીવદયા સંસ્થા તથા મોરબીના કેટલાક ગૌરક્ષકો તરફથી મળેલી માહિતીના આધારે જોડિયા પોલીસે કેશીયા ગામ પાસે વોચ ગોઠવી ટ્રક ત્યાંથી પસાર થતાં પોલીસે તેને અટકાવીને તલાસી લીધી હતી.જે દરમિયાન ટ્રકનો ચાલક ટ્રક છોડીને તેમાંથી ભાગી છૂટ્યો હતો, પરંતુ ક્લીનર હાથમાં આવ્યો હતો જેનું નામ પૂછતા તેણે પોતાનું નામ નામ અસગરશા ઇસુબશા શેખ અને કચ્છ ભુજમાં રહીને મજૂરી કામ કરતો હોવાનું જણાવ્યું હતું. તેની સાથે રહેલા ટ્રકના ડ્રાઇવર નામ પૂછતા તેણે ડ્રાઈવર નું નામ દિલાવર અબ્દુલ પઠાણ અને તે પણ ભુજનો રહેવાસી
| હોવાનું કબૂલ્યું હતું. પોલીસે ટ્રક ની તલાસી લેતાં ઉપર નીચે બે માળ પાટીયા ગોઠવીને બનાવ્યા હતા. અને તેમાં ભેંસ ના ૭૫ નંગ પાડા ખીચોખીચ ભરીને દોરડાથી બાંધીને રાખવામાં આવ્યા હતા, અને તેને ખોરાક પાણીની કોઈ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ ન હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આ . પશુઓને જામનગર તરફ કતલખાને મોકલવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તે માહિતીના આધારે જોડિયા પોલીસે કચ્છના ટ્રક ડ્રાઈવર અને નું ક્લિનિક સામે ગુનો નોંધ્યો છે. અને ક્લીનર ની અટકાયત કરી લઇ ટ્રક કબજે કરી ડ્રાઇવરની શોધખોળ હાથ ધરી છે.