સુમુલડેરીએ મહુવા શુગરમિલને આપેલા 10 કરોડ સામે 9 ડિરેક્ટરે વાંધો લીધો
26-12-2024

ઉપપ્રમુખ રાજુ પાઠકે પણ વાંધા અરજી અંગે સંમતિ આપી પણ સહી કરી નથી
સુરતની સુમુલ ડેરીએ મહુવા શુગર ફેક્ટરીને મોલાસીસ ખરીદીના એડવાન્સ પેટે રૂ. ૧૦ કરોડ આપવાના મામલે બોર્ડ મીટીંગમાં ૧૯ માંથી ડિરેક્ટરોએ લેખિત વાંધા અરજી આપી વિરોષ કરી જે જવાબદારી ઊભી થશે તે પ્રમુખ અને એરમાવાની હોવાનું મુનાવતાં કાચનો ડિરેક્ટરોની વાંધાઅરજીમાં સંમતિ દર્શાવી હોવાનું જાણવા મળે છે.
સુમુલ ડેરીના વહીવટમાં પ્રમુખ માનસિહ પટેલ અને ઉપપ્રમુખ રાષ્ટ્ર પાઠક વચ્ચે જૂથવાદની વહીવટર્ટી લડાઈ ગત સામાન્ય ચૂંટણી સમયથી ચાલી આવે છે. બંને જૂથના સરખા ડિરેક્ટરો ચૂંટાયેલા હતાં. ભાજપ મોવડી મંડળે સમાધાનના ભાગરૂપે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરી હતી. દરમિયાન વ્યારા શુગર ફેક્ટરીના ખેડૂત સભાસદોને શેરડી પીલાણના નાણાં ચૂકવવા માટે જરૂરીયાત હોય મહુવા શુગર ફેક્ટરીએ વ્યારા શુગર ફેક્ટરીને નાણા આપ્યા હતાં. જેના ભાગરૂપે મહુવા શુગર ફેક્ટરીએ મોલાસીસ એડવાન્સ - પેટે સુમુલ ડેરી 1 પાસેથી રૂ. 10 કરોડ લીધા હતા. જે રૂ.૧૦ કરોડ સુમુલ ડેરીએ મોલાસીસ ખરીદીના એડવાન્સ પેટે આપવાના મામલે સુમુલ ડેરીની બોર્ડ તેમજ પરચેઝ કમિટીએ મંજૂર કરેલા ન હતા.
દરમિયાન આજે બુધવારે સુમુલ ડેરીના પ્રમુખ માનસિંહ પટેલના અધ્યક્ષ સ્થાને બોડે મીટીંગ મળતાં ૧૯ માંથી માંડવીના ડિરેક્ટર રેસાભાઈ ચૌધરી સહિત ૯ ડિરેક્ટરે લેખિત વાંધા અરજી આપી હતી. જેમાં મહુવા શુગર ફેક્ટરીને મોલાસીસના એડવાન્સના રૂ.૧૦ કરોડ આપવા સામે વાંધો રજૂ કરી જેમાં જે કંઈ કાયદાકીય પ્રશ્નો ઉભા થાય તેમાં પોતે જવાબદાર રહેશે નહીં અને એમ.ડી નાણાં ચુકવતી ચુકવતી વખતે બહાર હોવા છતાં નાણાંની સંમતિ આપી હોવાનું જણાવી આક્ષેપો કર્યા હતાં. જે લેખિત વાંધા અરજી પર થયા સમયે ઉપપ્રમુખ રાજુ પાઠકે પણ સંમતિ આપી હોવાનું જાણવા મળે છે. અરજીમાં રાજુ પાઠકે સહી કરેલી ન હોય તે મુદ્દે પણ વિવાદ થયો હોવાનું જાણવા મળે છે.
રૂ.૧૦ પૈકી ૩ કરોડના મોલાસીસની ખરીદી થઇ ગઈ, વિરોધ અસ્થાને : માનસિંહ જૂથ
સુમુલ ડેરી દ્વારા ત્રણ શુગર ફેક્ટરીઓ પાસેથી મોલાસીસના ભાવ મંગાવેલા હતાં. જેમાં મહુવા શુગર ફેક્ટરીના ભાવો નીચા હોય ઓર્ડર આપવામાં આવેલો હતો અને એડવાન્સ પેટે રૂ. ૧૦ કરોડ ચૂકવ્યા હતાં. જે વહીવટી મેટરમાં ૯ ડિરેક્ટરએ વાંધો રજૂ કર્યો છે. જિલ્લાની અન્ય શુગર ફેક્ટરીઓ પાસેથી ગુજરાતના અન્ય દૂધ સંઘ દ્વારા વધુ ભાવથી મોલાસીસ ખરીદી કરેલી હોય સુમુલ ડેરીને મહુવા શુગર પાસેથી ખરીદી કરવામાં ફાયદો થયો છે. · ઉપરાંત મહુવા શુગર - ફેક્ટરીને જે રૂ.૧૦ કરોડ એડવાન્સ આપેલા હતાં જેમાંથી રૂ.૩ કરોડની ખરીદી થઈ ચૂકી છે ત્યારે ૯ ડિરેક્ટરનો વિરોધ હાલના તબક્કે અસ્થાને ને હોવાનું માનસિંહ પટેલ જૂથના ડિરેક્ટરો જણાવી રહ્યા છે.
આ ડિરેક્ટરોએ વાંધો લીધો
માંડવીના રેસાભાઈ ચૌધરી, બારડોલીના જીતેન્દ્ર પટેલ (જીતુ બામણી), ઉચ્છલના સુનિલ ગામીત, નિઝરના ભરત પટેલ, કુકરમુંડાના સંજય સૂર્યવંશી, સોનગઢના કાંતિ ગામીત, વાલોડના નરેશ પટેલ, ઉમરપાડાના રિતેશ વસાવા, કામરેજના બળવંત પટેલ
મહુવા શુગરે વ્યારા શુગરને મદદ કરી છતાં વ્યારા શુગરના ઉપપ્રમુખ નરેશ પટેલે વાંધો લેતા ભાજપ ગંભીર નોંધ લેશે
વાલોડના ડિરેક્ટર અને સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટીવ બેંકના પાજી પ્રમુખ નરેશ પટેલને ગુજરાત સરકારે વ્યારા શુગરની બનાવેલી કમિટીમાં ઉપપ્રમુખપદે નિયુક્ત કરેલા છે. નરેશ પટેલને મહુવા શુગર ફેક્ટરીએ વ્યારા શુગર ફેક્ટરીને નાણાંકીય મદદ કરીને આદિવાસી સભાસદ ખેડૂતોને શેરડીના નાણાં ચૂકવ્યા હતા અને મહુવા શુગરને સુમુલ ડેરીએ નાણાં આપ્યા તેની જાણકારી હતી. ભાજપ મોવડી મંડળે તે નરેશ પટેલને વ્યારા શુગર ફેક્ટરીમાં ઉપપ્રમુખ બનાવેલા હોવા છતાં સુમુલ ડેરીએ આર્થિક મદદ કરી રૂ. ૧૦ કરોડ આપવા | સામે વાંધો નોંધાવવાના મામલે ભાજપ મોવડી મંડળ ગંભીર નોંધ કે તેમ જણાય છે. આગામી સમયમાં સહકારી ક્ષેત્રમાં ભાજપ દ્વારા થયેલી નિયુક્તિ અને ભાજપની નીતિનો વિરોધ કરવા અંગે કાર્યવાહી થવાની શક્યતા જણાય છે.