સક્કરબાગ ઝૂનાં પાંજરાંમાંથી રીંછ વૃક્ષની ડાળીનો સહારો લઈ સરકી ગયું
14-05-2025

ઝૂમાંથી એક રીંછ બહાર નીકળી જતા દોડધામ મચી
જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી એક રીંછ બહાર નીકળી જતા દોડધામ મચી ગઈ હતી. રીંછને જે વિસ્તારમાં રાખવામાં આવે છે ત્યાં પાંજરામાંથી વૃક્ષની ડાળીનો સહારો લઈ દીવાલ કૂદીને ઝૂની પાછળ આવેલ કસ્તુરબા કોલોનીમાં ઘૂસી ગયું હતું.
ઝૂનો સ્ટાફ “રાણા સિંહ'ની ગણતરીની તૈયારીમાં હતોને રીંછ એકલું ફરવા ચાલ્યું!
સક્કરબાગ ઝુમાં સિંહ-દીપડા, વાઘ સહિતના અનેક વન્યપ્રાણીઓને રાખવામાં આવે છે. ઝુમાં પાછળના ભાગે બસમાં પ્રવાસીઓને સિંહ-દીપડા, વાઘ, રીંછ સહિતના વન્યપ્રાણીઓને જોવા માટે લઈ જાય છે ત્યાં તમામ વન્યજીવોને મોટા પાંજરામાં રાખવામાં આવે છે. તે પાંજરામાંથી રીંછ બહાર નીકળીને ને ઝુની ઝુની પાછળના ભાગે આવેલી સોસાયટીમાં આંટાફેરા મારવા લાગ્યું હતું. સ્થાનિકો રીંછ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સ્થાનિકોને જાણ થઈ ગઈ હતી કે રીંછ ઝુમાંથી બહાર નીકળી ગયું હોય શકે છે
ઝુમાં જાણ કરતા ઝુના સ્ટાફ દ્વારા રીંછને બેભાન કરી પકડી લેવામાં આવ્યું હતું.
આ અંગે ઝુના સત્તાધિશોએ જણાવ્યું હતું કે, ગત તા.૯ના સક્કરબાગનો સ્ટાફ સિંહ ગણતરી માટેની તૈયારીમાં લાગ્યો હતો તેવા સમયે દિવસે ઝુમાં રીંછનું પાંજરૂ છે. છે તેમાં એક મોટું વૃક્ષ છે, વૃક્ષની પાતળી ડાળીઓ પકડીને તે વૃક્ષ પર ચડી ઝુની દીવાલ કુદીને બહાર નીકળી ગયું હતું. રીંછ ગમેતેવી જગ્યાએ ચડવા માટે ખુબ જ ચપળ અને સક્ષમ હોવાથી બહાર નીકળવામાં તેને સફળતા મળી હતી.