સ્વાર્થી માલિકોએ તરછોડી દીધેલા અશક્ત બળદોનો અનોખો આશ્રમ
06-02-2025

ભાણવડમાં બે વર્ષથી એનિમલ લવર્સ ગ્રુપનો નિઃસ્વાર્થ સેવાયજ્ઞ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે એનિમલ લવર્સ ગ્રુપના કાર્યકરો દ્વારા સમયાંતરે વિવિધ માનવતાવાદી સેવા કાર્યો કરવામાં આવે છે. તેમના દ્વારા આ વિસ્તારમાંથી નીકળતા ઝેરી તથા બિનઝેરી સાપથી માંડીને અજગર, મગર જેવા પ્રાણીને કોઈપણ સ્થળેથી વિનામૂલ્યે રેસ્ક્યુ કરવામાં આવે છે. આટલું જ નહીં, આ વિસ્તારમાં કોઈ પણ રીતે ઈજાગ્રસ્ત બનેલા પશુ, પક્ષીઓને પણ પ્રાથમિક સારવાર આપી અને પોરબંદર, જામનગર કે અન્ય સ્થળે પહોંચાડવામાં આવે છે. જેમાં સૌથી વધુ શિવનંદી આશ્રમ પ્રેરણારૂપ બન્યો છે.
હાલ ૯૦ બળદોને આશરો આપીને થતી સેવાચાકરી, પંખાની સુવિધા સાથેના વિશાળ શેડમાં બીમાર- વૃધ્ધ બળદો માટે ચારા- પાણી અને સારવાર સહિતની વ્યવસ્થા
આજથી આશરે બે વર્ષ પૂર્વે એનિમલ લવર્સ ગ્રુપના સક્રિય કાર્યકર અશોકભાઈ ભટ્ટ તથા તેમની ટીમના સ્વયંસેવકોને વિચાર આવ્યો કે ભાણવડ તથા આસપાસના વિસ્તારોમાં વૃદ્ધ બનેલા બળદથી અશક્તિના કારણે કામ ન થઈ શકતા જે બળદે પોતાની આખી જિંદગી પોતાના માલિક માટે ઘસી હોય, તેને સ્વાર્થી માલિકો હાંકી કાઢતા હોય છે. જેથી આવા માલિકને ત્યાં બળદને ખાવાનું તો ઠીક પાણી પણ મળતું ન હોવાથી દયાજનક પરિસ્થિતિમાં મૃત્યુની રાહ જોતા પડયા હોય છે. આ પરિસ્થિતિમાં ભાણવડમાં રઘુવંશી દાતા વનરાવન કાકુભાઈ લાખાણીની વિશાળ જગ્યા પર પશિવ નંદી આશ્રમધના નામથી રખડતા બળદો માટે આશપ સ્વાન શરૂ કરવામાં આવ્યું છે. હાલ અહીં આશરે ૯૦ જેટલા બળદને આશ્રય આપવામાં આવ્યો છે.
સવાર, સાંજ ધાર્મિક ભજન અને સપ્તાહ સંભળાવાય છે!
વૃદ્ધવ્યક્તિને જેમ ના મકભજન સમાહ કથા સંભળાવાય છે, તેમ અહીં પણ ખાસ સાઉન્ડ સિસ્ટમ ફિટ કરીને નિરાધાર વૃદ્ધ બળદોને પાછલી જિંદગીમાં સારા ખોરાક સાથે સવાર-સાંજ પા મક ભજન તેમજ ભાગવત સપ્તાહની કેસેટ પણ સંભળાય છે. એનિમલ લવર્સ ગ્રુપની ટીમના અશોકભાઈ ભટ્ટની સાથે મેરામણભાઈ, અશોકભાઈ, વિજયભાઈ વિગેરે દ્વારા આ નંદી આશ્રમના કાર્યકરો, સ્વયંસેવકો બળદોની દિવસ-રાત સેવા કરે છે.
એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા અહીં દાતાઓની મદદથી રૂપિયા સાડા આઠ લાખના ખર્ચ વિશાળ સેડ બનાવીને પંખાની સગવડ સાથે રોજ લીલો તેમજ સુધી ચારો, કડણ, મગફળીનો ભૂકો, સિઝનમાં તરબૂચ, દુધી, રીંગણા, કોબી, મેથી જેવા શાકભાજી ખવડાવવામાં આવે છે. એટલું જ નહીં, બીમાર અને બળદ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. જો બળદ બેસી જ રહેતો તેઓની નસ જામ થઈ જતા તેમ મૃત્યુ પામે છે. આથી ખાસ બનાવવામાં આવેલી બે થોડી વડે બળદની હેરફેર કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
અહીં કેટલાક ફેક્ચર વાળા, માથાના ભાગે કેન્સર જેવા રોગોથી પીડાતા બળદ માટે ખાસ સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે. ભાણવડ ઉપરાંત ખંભાળિયા તેમજ આસપાસના જુદા જુદા ગામોમાંથી નિરાધાર, વૃદ્ધ, રખડતા બળદને ખાસ એમ્બ્યુલન્સથી જે-તે સ્થળેથી લઈ આવીને આ આશ્રમમાં રાખવામાં આવે છે તેમજ તેની સારવાર પણ કરાય છે. અહીં દરરોજ ત્રણ વખત ચારો અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે.