દિગ્વીજયગ્રામ ગામે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરતા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ

26 દિવસ પહેલા

Top News

વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ

જામનગર તાલુકાના દિગ્વીજયગ્રામ ગામે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે રૂ.૧૦લાખથી વધુના ખર્ચે નિર્માણ પામેલ વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. આ કામોમાં મહેશ્વરીસમાજ વાડીના રૂમનું કામ કુલ રૂ.૭,૮૯,૩૭૧ તથા રૂમની બાજુમાં રૂ.૨,૩૮,૫૪૦ લાખના ખર્ચે નાખવામાં આવેલ શેડના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંત્રીએ જણાવ્યું હતું કે આ કામ થવાથી મહેશ્વરી સમાજના લોકોની સુવિધામાં વધારો થશે. 

આ કાર્યક્રમમાં મંત્રી સાથે હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેનમુકુન્દભાઈ સભાયા, અગ્રણીઓ કુમારપાળસિંહ રાણા, મહેન્દ્રસિંહ જાડેજા, સરપંચ જગદીશભાઈ, અગ્રણીઓ, અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates