કૃષિમંત્રી હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી ખરીદ કેન્દ્રની મુલાકાત લઇ ખેડૂતો સાથે સંવાદ કર્યો

01-02-2025

Top News

યાર્ડ ખાતે અત્યાર સુધી 5100 ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી: રાઘવજી પટેલ

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલ ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્રની મુલાકાત લીધી હતી. અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો.

મંત્રીની આ મુલાકાત દરમિયાન તેમની સાથે હાપા માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા.

આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું સુદઢ આયોજન કરવામાં આવ્યું છે. હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે સરકાર દ્વારા ચાલી રહેલ ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં અત્યાર સુધી ૫૧૦૦ ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી છે. બાકી રહેલા ખેડૂતોની મગફળીની ખરીદીની કામગીરી ચાલુ છે. એક ખાતેદાર ખેડૂત પાસેથી સરકાર દ્વારા ૨૦૦ મણ મગફળી ખરીદવામાં આવે છે. અને બજાર ભાવો કરતા એક મણના ૩૦૦થી ૩૫૦ રૂપિયા વધુ આપવામાં આવતા ખેડૂતો ખુશ છે. અને ખરીદ પ્રક્રિયાથી સંતોષ વ્યક્ત કરી રહ્યા છે. જગતના તાતને તેના પાકના પોષણક્ષમ ભાવો મળે તે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો હેતુ છે. અને ટેકાના ભાવે પાકોની ખરીદ પ્રક્રિયાથી આ હેતુ સિદ્ધ થઇ રહ્યો છે.

જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી લોકોની રજૂઆતો સાંભળતા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ

જામનગર તા.31 જાન્યુઆરી, રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલે જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી ઉપસ્થિત રહેલ નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી.તેમજ નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. મંત્રીશ્રી દ્વારા યોજવામાં આવેલ આ લોકસંપર્ક કાર્યક્રમમાં જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા,તેમજ તેઓએ પોતાની રજૂઆત મંત્રીશ્રી સમક્ષ મૂકી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે,કૃષિમંત્રીશ્રી દ્વારા જાહેર જનતા સાથે સંવાદ સેતુ સાધવા આ પ્રકારના લોક સંપર્કનું દર અઠવાડિયે શહેરના લાલ બંગલા સ્થિત સર્કિટ હાઉસ ખાતે આયોજન કરવામાં આવે છે.જેમાં બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી પોતાના પ્રશ્નો તથા રજૂઆતો બાબતે રૂબરૂ ચર્ચા કરે છે. કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ પણ એટલી જ સહૃદયતાથી નાગરિકોના પ્રશ્નો સાંભળી તેના નિવારણ માટે સ્થળ પર જ લગત વિભાગો તથા સંબંધિતોને ટેલિફોનિક સૂચના આપી અથવા તો લેખિત કાર્યવાહી કરી લોક પ્રશ્નોના નિરાકરણનું માધ્યમ બને છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates