સીએની તમામ અને ડેપ્યુટી સેકશન ઓફિસરની પરીક્ષા મોકૂફ

10-05-2025

Top News

ભારત-પાક.વચ્ચે સંઘર્ષની સ્થિતિને પગલે લેવાયો નિર્ણય

ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલની સંઘર્ષ અને તણાવભરી સ્થિતિને લઈને સીએ ઈન્સ્ટિટ્યુટ દ્વારા ૧૪મી સુધીની તમામ પરીક્ષાઓ રદ કરી દેવામા આવી છે.આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટમાં ડેપ્યુટી સેકશન ઓફિસર અને બેલિફની પોસ્ટ માટેની એનટીએની ૧૧મીની પરીક્ષા પણ મોકુફ કરાઈ છે.જ્યારે બીજી બાજુ યુજીસી દ્વારા સ્પષ્ટતા કરવામા આવી છે કે યુનિ.-ઓ-કોલેજોની પરીક્ષાઓ રદ કરવા માટે કોઈ પણ પ્રકારનો પરિપત્ર થયો નથી. સોશિયલ મીડિયામાં ફેક લેટર ફરતો થયો છે.

યુનિ.-કોલેજોની પરીક્ષા રદ થઈ હોવાનો ફેક લેટર યુજીસીના નામે સોશિયલ મીડિયામાં ફરતો થયો

ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા દ્વારા મહત્વની જાહેરાત કરવામા આવી છે કે દેશમાં હાલ સુરક્ષાની ગંભીર સ્થિતિને લઈને સીએની બાકીની તમામ પરીક્ષાઓ મોકુફ કરવામા આવે છે. ઈન્સ્ટિટ્યુટ દ્વારા દેશભરમાં સીએ ફાઈનલ અને ઈન્ટરમીડિએટ પ્રોગ્રામની મે સેશનની પરીક્ષાઓ ચાલી રહી હતી અને જે ૧૪મી સુધી ચાલનાર હતી.

પરંતુ ઈન્સ્ટિટ્યુટ દ્વારા આ પરીક્ષાઓ મોકુફ કરી દેવામા આવી છે. આ ઉપરાંત પોસ્ટક્વોલિફિકેશન કોર્સ એક્ઝામિનેશન-ઈન્ટરનેશનલ ટેકસેશન એસેસમેન્ટ ટેસ્ટ પણ મોકુફ કરી દેવામા આવી છે. આ પરીક્ષાઓની નવી તારીખો ઈન્સ્ટિટ્યુટ દ્વારા પછીથી જાહેરાત કરવામા આવશે.આ ઉપરાંત ઉમેદવારોની રજૂઆતોને પગલે એનટીએ દ્વારા ૧૧મીએ લેવાનાર ડેપ્યુટી સેકશન ઓફિસર અને બેલિફ(પ્રોસેસ સર્વર) ભરતી માટેની પરીક્ષા પણ મોકુફ કરાઈ છે.

જ્યારે બીજી બાજુ યુજીસી દ્વારા સ્પષ્ટતા કરવામા આવી છે કે યુનિ.-ઓ અને કોલેજોની પરીક્ષાઓને લઈને કોઈ પણ જાહેરાત કરવામા આવી નથી કે સકર્યુલર કરવામા આવ્યો નથી. સોશિયલ મીડિયામાં યુજીસીના નામે બનાવટી પબ્લિક નોટિસ ફરી રહી છે.જેમાં જણાવવામા આવ્યુ છે કે હાલ ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિને લીધે યુજી,ડિપ્લોમા અને સર્ટિફિકેટ લેવલના તમામ કોર્સની પરીક્ષાઓ તાકીદથી રદ કરવામા આવે છે. અને વિદ્યાર્થીઓને સલાહ આપવમા આવે છે કે તેઓ સલામતી-સુરક્ષાને ધ્યાને રાખતા તેઓના ઘરે બને તેટલુ જલ્દીથી જતા રહે. જો કે યુજીસીએ સ્પષ્ટતા કરી છે કે આ ફેક નોટિસ છે યુજીસી દ્વારા આવી કોઈ નોટિસ ઈસ્યુ કરાઈ નથી કે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને આ પ્રકારની કોઈ સૂચના અપાઈ નથી.

રાજકોટ, ભૂજ, જામનગર સહિતના એરપોર્ટ વધુ પાંચ દિવસ માટે બંધ

ભારતે ખૂબ સંયમપૂર્વક માત્ર આતંકવાદી કેમ્પોને જ નિશાન બનાવ્યા છતાં પાકિસ્તાન દ્વારા ઉશ્કેરણીજનક હુમલાના પ્રયાસો જારી રાખતા સર્જાયેલ સ્થિતિ અન્વયે સૌરાષ્ટ્રનાં રાજકોટ, ભૂજ અને જામનગર તથા કેશોદ, મુંન્દ્રા, કંડલા અને પોરબંદર સહિત એરપોર્ટને અગાઉ તા.૧૦ની સવાર સુધી બંધ રાખવા નિર્ણય બાદ હવે વધુ પાંચ દિવસ માટે એટલે કે આગામી તા. ૧૫ મેના સવારે ૫.૨૯ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. એરલાઈન્સ કંપનીઓએ આ અંગે આજે સાંજે અપડેટેડ ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી હતી. રાજકોટ, જામનગર, ભૂજ ઉપરાંત જમ્મુ, શ્રીનગર, લેહ, જાધપુર, અમૃતસર, ચંડીગઢ આવતી જતી તમામ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે તેમ એર ઈન્ડીયાએ ટ્વીટ કર્યું છે. તા.૧૫ મે સુધી આ વિમાનમથકથી આવવા-જવા ટિકીટ બૂક કરાવનાર મુસાફરોને પૂરેપૂરું રિફંડ આપવામાં આવશે અથવા રિશિડયુલ કરાશે તેમાં વન ટાઈમ ચાર્જ નહીં લગાડાય તેવી પણ ખાત્રી અપાઈ છે. આ ઉપરાંત ઈન્ડીગોએ પણ આજે સાંજે એડવાઈઝરી જારી કરીને રાજકોટ,શ્રીનગર, જમ્મુ, અમૃતસર, લેહ, ચંડીગઢ, ધર્મશાલા, બિકાનેર, જોધપુર, કિસનગઢ ડેસ્ટીનેશન ધરાવતી ફ્લાઈટ તા.૧૫ મેની સવાર સુધી કેન્સલ રહેશે. આ હવાઈયાત્રિકોની સુરક્ષા માટે પગલુ લેવાયાનું જણાવાયુ છે.

સૌરાષ્ટ્રમાંથી રાજકોટથી દૈનિક ૩૨૦૦ સહિત આશરે ૪૫૦૦થી વધુ નાગરિકો હવાઈયાત્રા કરતા હોય છે જેઓ હાલની સ્થિતિમાં તેમની સુરક્ષા માટે તા. ૧૫ની સવાર સુધી હવાઈયાત્રા કરી શકશે નહીં અને તેના વિકલ્પે ટ્રેન કે બસ મારફત નિયત સ્થળે જઈ શકશે. પ્રવર્તમાન સ્થિતિમાં દેશમાં હજારો હવાઈયાત્રિકો ટિકીટ રદ કરાવવા લાગ્યા છે અને એરલાઈન્સ કંપનીઓ પર આ અંગે સતત પૃચ્છા આવી રહી છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates