સીએની મોકૂફ કરાયેલી તમામ પરીક્ષાઓ હવે 16 મેથી લેવાશે
12-05-2025

ભારત-પાકિસ્તના વચ્ચેની સંઘર્ષની સ્થિતિને લીધે
ભારત-પાકિસ્તાન વચ્ચેની સંઘર્ષ-તણાવપૂર્ણ સ્થિતિને પગલે આઈસીએઆઈ દ્વારા ૧૦મેથી૧૪મે સુધીની વિવિધ પરીક્ષાઓ મોકુફ કરી દેવામા આવી હતી.જ્યારે હવે શસ્ત્રવિરામની સ્થિતિને પગલે સ્થિતિ સામાન્ય થતા આઈસીએઆઈ દ્વારા પરીક્ષાઓની નવી તારીખો જાહેર કરવામા આવી છે.જે મુજબ હવે ૧૬ મેથી પરીક્ષાઓ શરૂ થશે.
સીએ ઈન્સ્ટિટ્યુટ દ્વારા પરીક્ષાનો નવો કાર્યક્રમ જાહેરઃઈન્ટર સહિતની પરીક્ષા ૨૪મી સુધી થશે
ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા દ્વારા સીએ ફાઈનલ,સીએ ઈન્ટરમીડિએટ સહિતના પ્રોગ્રામની પરીક્ષાઓ મેની શરૂઆતથી જ શરૂ કરી દેવામા આવી હતી.આ પરીક્ષાઓ ચાલી રહી હતી ત્યારે આ દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ઉભી થતા આઈસીએઆઈ દ્વારા પરીક્ષાઓ મોકુફ કરી દેવામા આવી હતી.૯ મે પછીની આગળની પરીક્ષાઓ મોકુફ કરવામા આવી હતી. પરંતુ હવે સ્થિતિ સામાન્ય થતા આઈસીએઆઈ દ્વારા નવી તારીખો જાહેર કરી દેવામા આવી છે જે મુજબ ૧૬મેથી પરીક્ષાઓ હવે શરૂ થશે.
જાહેર કરાયેલા નવાકાર્યક્રમમ પ્રમાણે સીએ ફાઈનલ (ગ્રુપ-૨) પેપર-૫ની પરીક્ષા તથા ઈન્ટરનેશનલ ટેક્સેશન-એસેસમેન્ટ ટેસ્ટ (આઈએનટીટી-એટી) પેપર-૧ની પરીક્ષા ૧૬ મેના રોજ લેવાશે.ત્યારબાદ સીએ ફાઈનલ (ગ્રુપ-૨) પેપર-૬ની અને ઈન્ટરનેશનલ ટેક્સેશન એસેસમેન્ટ ટેસ્ટ પેપર-રની પરીક્ષા ૧૮મી મેએ તથા, ઈન્ટરમીડિએટ ગ્રુપ-૨ પેપર ૪ની પરીક્ષા ર૦મે, ઈન્ટરમીડિએટ ગ્રુપ-૨પેપર નં. પાંચની પરીક્ષા ૨૨ મે અને ઈન્ટરમીડિએટ ગ્રુપ-૨ પેપર ૬ની ૨૪મી મેના રોજ લેવાશે. આઈસીએઆઈ દ્વારા ફાઉન્ડેશન અને ઈન્ટરમીડિએટ સહિતની પરીક્ષાઓ હવે વર્ષમાં ત્રણ વખત લેવામા આવે છે.