APMCની ચૂંટણીમાં ભાજપના જ સભ્યો હાર્યા, ભાજપના જ જીત્યા

18-12-2024

Top News

ચૂંટણીને સમરસ બનાવવાના પ્રયત્ન નિષ્ફળ જતાં

ચૂંટણી જાહેર થતાં જ કરોડો રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા ઊંઝા એપીએમસીના વહિવટની ધૂરા સંભાળવા માટે ભાજપના ધારાસભ્ય કિરીટ પટેલ પૂર્વ ચેરમેન દિનેશ પટેલ અને પૂર્વ મંત્રી નારાયણ પટેલના જૂથો આમનેસામને આવી ગયા હતા. ભાજપ સંગઠને ચૂંટણી સમરસ બનાવવા માટે કરેલ સમજાવટનો કોઈ પરિણામ મળ્યો ન હતો. ત્યારબાદ ખેડૂત વિભાગની ૧૦ બેઠકો પર ૨૦ અને વેપારી વિભાગની ૪ બેઠકો ઉપર ૧૬ મળી કુલ ૩૬ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં રહ્યા હતા.

ખરીદ વેચાણ વિભાગની એકમાત્ર બેઠક પરથી પૂર્વ ચેરમેન દિનેશ પટેલ બિન હરીફ થયા હતા. જોકે સંમૃદ્ધ એપીએમસી પર કબજો મેળવવા ધારાસભ્યા કિરીટ પટેલ, પૂર્વ મંત્રી નારણ પટેલ, સંસદ સભ્ય સહિતના આગેવાનોએ પ્રદેશ કક્ષાએ મેન્ડેટ આપવા માટે પ્રેશર ટેકનિક, અપનાવતા મોવડી મંડળ દ્વારા ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ બાદ એકાએક ૧૪ ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા હતા. આજે પરિણામ જાહેર થતા ખેડૂત વિભાગમાં ધારાસભ્ય કિરીટ પટેલ જૂથના ભાજપના મેન્ડેટ ધરાવતા પાંચ જ્યારે ખેડૂત વિભાગમાં ભાજપનું મેન્ડેટ ધરાવતા પૂર્વે મંત્રી નારણ પટેલના જૂથમાં પૌત્ર સહિત બે ઉમેદવારોને હારનો સામનો કરવો પડયો. આમ માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભાજપના જ સભ્યો અને ભાજપના જ સભ્યો જીત્યા જેવી સ્થિતિ નિર્માણ પામી છે.

ઈક્કો’ની ચૂંટણી વખતે પણ જયેશ રાદડીયાએ મેન્ડેટ માન્યો નહોતો

ઉંઝા યાર્ડની ચૂંટણીમાં ભાજપ સમર્થિત ઉમેદવારોનો પરાજ્યથી ફરે એકવાર ભાજપના સહકારી ક્ષેત્રે ધરાર અપાતા મેન્ડેટનો ફજેતો થયો છે. હજુ છ માસ પહેલા જ ઈશ્કોના ડાયરેક્ટરની "ચૂંટણીમાં ભાજપના ધારાસભ્ય જયેશ રાદડીયા વિરુધ્ધ અમદાવાદના બીપીન  પટેલ (ગોતા) તરફી ભાજપે મેન્ડેટ આપતા રાદડિયાએ ઈક્કોમાં જવલંત વિજય મેળવીને ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયુ કરી નાંખ્યું હતું અને આમ છતાં સહકારી ક્ષેત્રે પ્રદેશ ભાજપની દરમિયાનગીરી જારી રહી છે. ભાજપના મેન્ડેટવાળાની હાર થઈ હતી એટલે આના પછી તુરંત આવેલી નાફેડના ડાયરેક્ટરની ચૂંટણીમાં પ્રદેશ ભાજપે મેન્ડેટ આપવાનું ટાળીને બંધબારણે ગોઠવણી કરવી પડી હતી.

મેન્ડેટનું માન જળવાઈ રહે એટલે ઈક્કો પછી ‘નાફેડ’ની ચૂંટણીમાં મેન્ડેટ ન આપ્યો

ઉલ્લેખનીય છે કે જયેશ રાદડીયાની ઈક્કોમાં ઉમેદવારી વખતે ભાજપમાં ભારે ધમાસાણ મચ્યું હતું. સી.આર.પાટિલે અગાઉ એમ કહ્યું હતું કે સહકારી ક્ષેત્રે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ ઈલુ ઈલુ કરીને નક્કી કરે લે તે નહીં ચાલે, પક્ષ મેન્ડેટ આપશે એ સામે દિલિપ સંઘાણીએ સંભળાવ્યું આવેલાને મળાવ્યું હતું કે પક્ષપલ્ટો કરીને પદ આપી દેવાય તે ઈલુ ઈલુ કહેવાય. અને આ જ સંઘાણી બાદમાં વટથી ઈફ્કોના ફરીવાર ચેરમેન પદે પણ ચૂંટાઈ આવ્યા હતા.

 

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates