અમરેલી જિલ્લામાં પણ આંબા પરથી મોર ખરવા લાગતા ચિંતા
06-03-2025

બાગાયત કિસાનોની આશા પર પાણીઢોળ
અમરેલી જિલ્લામાં શરૂઆતમાં આંબામાં સારૂ ફ્લાવરિંગ જોઈ ખેડૂતો ખુશ થયા હતા અને સારાં ઉત્પાદનની આશા સેવાઈ હતી. પરંતું છેલ્લા ઘણા દિવસ વાતાવરણ બગડતા આંબાના મોર ખરવા લાગ્યા અને રોગ આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે.
અમરેલી અને ગીર જંગલના આસપાસના વિસ્તારમાં આંબામાં સારૂ ફ્લાવરિંગ જોઈ ખેડૂતો ખુશ થયા હતા અને સારું ઉત્પાદનની આશા સેવાઈ હતું. પરંતુ છેલ્લા ઘણા દિવસોથી સતત ઝાકર આવવાથી અને મધિયો, શ્રીપ અને ગળો આવવાથી કેરીનો પાક ખરવા લાગ્યો છે અને ખેડૂતોની આશા ઠગારી નીવડે તેવી ખેડૂતો આશંકા વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતોને એક આંબામાંથી બસો થી ત્રણસો કિલો કેરી ઉતરવાની આશા હતી પરંતુ હાલની સ્થિતિ જોતા પાંચ થી દસ કિલો કેરી ઉતરે તેવી સ્થિતિ થઈ ગઈ છે અને ખેડૂતો આંબામાં દવાનો છંટકાવ કરવા છતાં રોગ જતો ન હોવાનું જણાવી રહ્યા છે.
ઘણા દિવસથી વાતાવરણ બગડતા કેરીના પાકમાં મધિયો, શ્રીપઅને ગળો જેવા રોગનું સંક્રમણ, ખેડૂતો અને ઈજારદારોને મોટો ફટકો
આંબાના બગીચાના ખેડૂતોએ જણાવ્યું હતું કે ઇજારદારો શરૂઆતમાં સારું ફલાવરિંગ જોઈ આંબાનો બગીચો રાખી અને લાખ રૂપિયા આપી બગીચો રાખી લીધો હતો. હાલ હવે ઇજારદરો આંબામાં રોગ અને ફલાવરિંગ ખરી જવાથી ભાગી રહ્યા છે અને શરૂઆતમાં બગીચો રાખી અને બાનું આપ્યું હતું તે જતું કરી આવતા ન હોવાનો કેરી પકવતા ખેડૂતો વસવટો વ્યક્ત કરી રહ્યા હતા.