મહુવા શુગર કરતા કોપર શુગરની આર્થિક સ્થિતિ સારી, વેચવાનો પ્રશ્ન નથીઃ પ્રમુખ
30-01-2025

મહુવા શુગરના પ્રમુખને કોપર શુગર ખરીદવાની સત્તા આપતા ઠરાવથી વિવાદ
સુરત જિલ્લાની મહુવા શુગર ફેક્ટરીએ કોપર શુગર ખરીદવા અંગે બોર્ડ મિટિંગમાં ઠરાવ કરવાના મામલે શુગર ફેક્ટરીના સહકારી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. કોપર શુગર ફેક્ટરીના ચેરમેન એવા ચલથાણ શુગર ફેક્ટરીના પ્રમુખ ( કેતન પટેલે જણાવ્યું કે કોપર શુગર વેચાણ અંગે કોઈ ચર્ચા આજદિન સુધી થઈ નથી. કોઈપણ સભાસદ કે ખેડૂતની થાપણ વિના ચાલતી કોપર શુગર ફેક્ટરીની આર્થિક પરિસ્થિતિ મહુવા શુગર કરતાં અનેક ઘણી સારી છે અને પાંચ શુગરનું પીઠબળ હોય વેચાણનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.
કોપર શુગરને પાંચ શુગરનું પીઠબળ, સહકારી માળખામાં ચાલતી શુગરને વેચવા કે ખરીદવાનો કોઈ પ્રશ્ન જ નથી ત્યારે આવા ઠરાવો અસ્થાને છે
વાલોડ તાલુકાના દાદરીયા ખાતે આવેલી દાદરીયા શુગર ફેક્ટરી બંધ થતાં વર્ષ ૨૦૦૮માં પાંચ સહકારી શુગર | ફેક્ટરીઓ ચલયાશ, બારડોલી, કામરેજ, મહી અને મહુવાએ શેરફાળામાં રોકાણ કરી દાદરીયા શુગરમાં કોપર શુગરના નામે પીલાણ કાર્ય શરૂ કરાવ્યું હતું. સતત ૧૭મી પીલાશ સીઝનમાં કોપર શુગર ફેક્ટરી આર્થિક સભરતા સાથે ચાલી રહી છે. દરમિયાન મહુવા શુગર ફેક્ટરી ખાતે બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગમાં કોપર શુગર ફેક્ટરીને ખરીદી અન્ય ચાર શુગર ફેક્ટરીને રોકાણના નાશાં વ્યાજ સહિત ચૂકવી દેવા અંગે ચર્ચા કરી પ્રમુખને સત્તા આપતો ઠરાવ કરવામાં આવ્યો હતો.
કોપર શુગર વેચાણ અંગે કોઈ ચર્ચા આજદિન સુધી કરવામાં આવી નથી
જે મુદ્દે સુરત જિલ્લાની સહકારી શુગર ફેક્ટરી સમિત સહકારી રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. દરમિયાન આજે બુધવારે કોપર શુગર ફેક્ટરીના પ્રમુખ એવા ચલચાલ શુગર ફેક્ટરીના પ્રમુખ કેતન પટેલે જણાવ્યું કે, મહુવા કરતાં કોપર શુગરની આર્થિક પરિસ્થિતિ અનેક ઘણી સારી છે. મહુવા શુગર ફેક્ટરીને આર્થિક સંકળામણ હોઈ શકે પરંતુ કોપર શુગરને કોઈ તકલીફ નથી અને પાંચ શુગર ફેક્ટરીનું પીઠબળ છે.
કોપર શુગરને ખરીદી અંગે મહુવા શુગર ફેક્ટરીએ ઠરાવ કર્યો હોય તો મહુવા સુગરના પ્રમુખ માનસિહ પટેલ હોદાની રૂએ કોપર શુગરની બોર્ડના સભ્ય છે. કોપર શુગર વેચાણ અંગે કોઈ ચર્ચા આજદિન સુધી કરવામાં આવી નથી ત્યારે ખરીદવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. કોપર શુગર ફેક્ટરી પાંચ સહકારી શુગર ફેક્ટરીના સહયોગથી ચાલી રહી છે.
આર્થિક સભ્યરતાને પગલે કોઈપણ ખેડૂત સભાસદની પાપણ વિના સંસ્થા ચાલી રહી છે. ત્યારે આવા ઠરાવથી ખેડૂતો અને સભાસદોમાં અસમંજસની પરિસ્થિતિ ઉભી કરવી જરૂરી નથી. સહકારી માળખામાં જ ચાલતી કોપર શુગર ફેક્ટરીને વેચવા અંગે કે ખરીદવા અંગેનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી ત્યારે આવા ઠરાવો અસ્થાને જણાય છે.