ઊના નજીક ગૌવંશનું કતલખાનું પકડાયું, 9 ઈસમ સામે ગુનો દાખલ

05-05-2025

Top News

ગીર- સોમનાથ એલસીબી ટીમ વાડી વિસ્તારમાં ત્રાટકી

ઊના નજીક એક વાડીમાં એલસીબીની ટીમે રેડ કરી ગૌવંશનું કતલખાનું પકડી પાડયું હતું. તેમજ પાંચ વાછરડાને બચાવી આઠ લેવાયા હતા. સ્થળ પરથી આઠ ઈસમને ગૌ માસ સાથે ઝડપી લઈ કતલ કરવાના સાધનો, વાહનો સહિતનો મુદ્દામાલ કબજે કરી પોલીસમાં ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી. રેડ દરમ્યાન વાડી માલિક હાજર મળી આવ્યો ન હતો.

કતલ કરવાનાં સાધનો, વાહનો, મોબાઈલ સહિત કુલ રૂા.૨.૮૦ લાખનો મુદ્દામાલ કબ્જે, પાંચ વાછરડાને બચાવી લેવાયાં

ગીર-સોમનાથ અલસીબીની ટીમને પેટ્રોલીંગ દરમ્યાન બાતમી મળી હતી કે, ઊનામાં ખાનગી સ્કૂલની પાછળ વાડી વિસ્તારમાં રહેતો અસલમભાઈ ઉર્ફે અસલો કાસમભાઈ ચોરવાડા(ભોજા) તેની વાડીના રહેણાંક મકાન પાસે આવેલા માલઢોર બાંધવાના ઢાળીયામાં કતલખાનું ચલાવી રહ્યો છે. જે આધારે એલસીબીની ટીમે રેડ કરી આસીફખાન અમીર ઉલ્લાખાન પઠાણ, મુખારખાન ઉર્ફે દાદો અમીરઉલ્લાખાન પઠાશ, બસીર ઉર્ફે બાડો સીદીભાઈ સુમરા, અજીમ દોસ્તમહમદ મુન્સી પઠાણ, મહમદ કાસમભાઈ મુન્સી પઠાલ ચોરવાડા, કાદુ ઉર્ફે કાદર પીરૂભાઈ સમા, રઝાક પીરૂભાઈ સમા અને અયાનખાન આસીફખાન પઠાણને ઝડપી લીધા હતા.

સ્થળ પરથી કતલ કરેલી હાલતમાં વાછર તેમજ જીવીત વાછરડા નંગ-૫ અને કતલ કરવાના હથિયારો, વાહનો નંગ-૯ અને મોબાઈલ નંગ-૮ સહિત કુલ રૂા.૨,૮૦,૩૫૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. જ્યારે રેડ દરમ્યાન વાડી માલિક અસલમભાઈ ઉર્ફે અસલો કાસમભાઈ ચોરવાડા હાજર મળી આવ્યો આવ્યો ન હતો. એલસીબીએ તમામ ૯ ઈસમો સામે ઊના પોલીસમાં ગુનો દાખલ કરાવી ધોરણસરની કાર્યવાહી કરી હતી. એલસીબી અને ઊના પોલીસ દ્વારા પકડાયેલા ઈસમોને રોડ પર જાહેરમાં ફેરવી કડક કાયદાનો અહેસાસ કરાવ્યો હતો.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates