સુરતમાં શાકભાજી સહિત ખેતપેદાશોનો દરરોજનો વપરાશ રૂા.10 કરોડથી વધુ

18-04-2025

Top News

સૌથીવધુ બટાકા, કાંદા, ટામેટા વેચાયા

ગૃહિણીઓમાં દરરોજ શાકભાજી અને રસોઈ બનાવવા માટે કકળાટ જોવા મળતો હોય છે કે આજે શું બનાવીએ? તે મુંઝવણ વચ્ચે શાકભાજી પાછળ જે ખર્ચ થાય છે તે પણ તગડો છે. સુરત એપીએમસીમાંથી એક કરોડ લોકોને શાકભાજી પુરું પડાય છે. આ વર્ષે અલગ અલગ ૪૨ પ્રકારના શાકભાજી અને ખેતપેદાશોના વેચાણ બદલ રૂા. ૩૯૭૨.૮૦ કરોડનું ટર્ન ઓવર થયું છે. એટલે કે સુરતીઓનો શાકભાજી અને ખેતપેદાશોનો દૈનિક વપરાશ રૂા. ૧૦ કરોડથી કરોડથી વધુનો છે.

૪૨ પ્રકારના શાકભાજીમાં સુરત APMCનું વાર્ષિક ટર્નઓવર રૂા.૩૬૭૨ કરોડ, ગત વર્ષ કરતા ૬૭૨ કરોડ વધુ

સુરતના સહારા દરવાજા સ્થિત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં એપીએમસી દેશના અલગ અલગ ૧૫ જેટલા રાજ્યો તથા તેમજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાંથી શાકભાજી વેચાણ અર્થે આવે છે. અને અહિંથી સમ્રગ સુરત શહેર અને આજુબાજુના ગામો મળીને અંદાજે એક કરોડ લોકોમાં વેચાણ અર્થે જાય છે.

એપીએમસીમાં દરરોજના ૨૫ થી ૩૦ હજાર લોકોની અવર જવર રહેતી હોય છે. અને આ વર્ષે એટલેકે એપ્રિલ-૨૦૨૪ થી માર્ચ-૨૦૨૫ સુધીમાં અલગ અલગ ૪૨ જેટલા શાકભાજી અને ખેતપેદોશોનું ૧૧,૮૭,૨૫૯ ટન વેચાણ થયું હતું. જેથી એપીએમસીનું વાર્ષિક ટનઓવર રૂા.૩૯૭૨.૮૦ કરોડનું થયુ છે. જે ગત વર્ષ ના રૂા.૩૦૫૦.૯૧ કરોડ ટર્નઓવર કરતા રૂા.૯૭૨ કરોડ વધુ છે. ગત વર્ષે રાજ્યમાં સૌથી વધુ શાકભાજીનું સુરત એપીએમસીએ વેચાણ કર્યું હતું. સુરત એપીએમસીના શાકભાજી વેચાણના આંકડા જોતા સુરતી ગૃહિણીઓનો શાકભાજી અને અન્ય ખેતપેદાશો પાછળ જ દરરોજનો રૂા.૧૦.૦૯ કરોડનો ખર્ચો થઈ રહ્યો છે. આ સિવાય તેલ, ગેસ, મસાલાનો ખર્ચ અલગ થાય છે. સુરત શહેરમાં રેસ્ટોરન્ટ, હોટલો તથા નાની લારીઓ પર પણ શાકભાજીનો મોટા જથ્થામાં ઉપયોગ થાય છે.

સુરત શહેરમાં સૌથી વધુ બટાકા, ત્યારબાદ કાંદા અને ટામેટાનો ઉપયોગ થાય છે

એપીએમસીના આંકડા જોતા વર્ષ દરમ્યાન સૌથી વધુ વેચાણ બટાકાનું થાય છે. વર્ષે દહાડે ૫૩૯. ૧૫ કરોડના બટાકા વેચાય છે. જયારે કાંઠાનું ૪૧૮.૯૯ કરોડનું, ટામેટા ૨૯૯ કરોડનું અને લીલી મરચા ૨૩૯ કરોડનું વર્ષ દરમ્યાન વેચાણ થયું હતું. આ સિવાય શાકભાજીમાં રીંગણ પણ ૧૪૧ કરોડના વેચાણ થાય છે. તેમજ પાપડી, વાલોડ, ફલાવર ભીંડા પર મોટા પ્રમાણમાં વેચાઇ રહ્યા છે. શાકભાજીના વેપારીઓના જણાવ્યા મુજબ બટાકા, કાંદા અને ટામેટા આ ત્રણેય શાકભાજીનો ફક્ત ઘરોમાં જ નહીં હોટલો, રેસ્ટોરન્ટોમાં પણ ભરપૂર ઉપયોગ થતો હોવાથી વધુ વેચાણ થઈ રહ્યું છે.

શાકભાજી બહારથી વેચાણ માટે આવવાનું મુખ્ય કારણ નાણાંકીય સલામતી

એપીએમસીમાંથી ગુજરાતમાંથી જ નહીં બહારના રાજયો તેમજ સુરત જિલ્લાની આજુબાજુના જિલ્લાઓમાંથી પણ શાકભાજી મોટા પ્રમાણમાં વેચાણ માટે આવે છે. આ એપીએમસીના બાબુ શેખના જણાવ્યા મુજબ અત્રે વેચાણ માટે આવવાનું મુખ્ય કારણ માર્કેટપાર્કમાં અને વેપારીઓને નાણાંકીય સલામતી અને દરેકને સમયસર પુરેપુરા નાણા મળી રહે છે. અને પારદર્શક વહીવટના કારણે શાકભાજી વેચનારાઓ અત્રે આવી રહ્યા છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates