ખાદ્યતેલોની ઈમ્પોર્ટ ઘટી ચાર વર્ષના તળિયે સરકારે 94 લાખ ગાંસડી રૂ ખરીદયું
05-03-2025

ક્રૂડતેલ તૂટતાં વિશ્વ બજારમાં ખાદ્યતેલોના ભાવ ગબડ્યા
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે વિવિધ દેશી તથા આયાતી ખાદ્યતેલોના ભાવમાં પીછેહટ ચાલુ રહી હતી. નવી માગ ધીમી હતી . વિશ્વ બજારના સમાચાર નિરુત્સાહી હતા. વૈશ્વિક સ્તરે ફૂડતેલ ગબડતાં તેની અસર વિશ્વ બજારમાં ખાદ્યતેલોના ભાવ પર દેખાઈ હતી. મલેશિયા ખાતે પામતેલ વાયદાના ભાવ આજે વધુ ૮૨થી ૧૩પ પોઈન્ટ ઘટવા હતા. ત્યાંથી નિકાસ પણ ઘટયાના વાવડ હતા.
ક્રૂડતેલ તૂટતાં વિશ્વ બજારમાં ખાદ્યતેલોના ભાવ ગબડ્યા
દરમિયાન, મુંબઈ હાજર ભજારમાં આજે ૧૦ કિર્લોના ભાવ આયાત પામતેલના ઘટી રૂ.૧૩૬૦ રહ્યા હતા. મુંબઈ સિંગતેલના ભાવ રૂ.૧૪૪૦ રહ્યા હતા. જ્યારે કપાસિયા તેલના ભાવ ઘટી રૂ.૧૩૪૫ રહ્યા હતા. સોયાતેલ રિફાઈન્ડના ભાવ ઘટી રૂ. ૧૩૨૫ જ્યારે સનફલાવરના ભાવ ઘટી રૂ. ૧૩૭૫ તથા રિફાઈન્ડના રૂ.૧૪૩૦ રહ્યા હતા.
મસ્ટૉ-સરસવ તેલના ભાવ રૂ.૧૩૨૫ તતા રિકાઈન્ડના રૂ.૧૩૫૫ બોલાઈ રહ્યા હતા. મુંબઈ દિવેલના હાજરભાવ આજે વધુ રૂ.૪ પટતાં હાજર એરંડાના ભાવકિવ.ના વધુ રૂ.૨૦ ઘટયા હતા. દરમિયાન, એરંડા વાયદા બજારમાં આજે ભાવ વધુ રૂ.૩૦થી ૩૫ નરમ રહ્યા હતા. વાયદાના ભાવ ઉંચામાં રૂ.૯૨૮૫ તથા નીચામાં રૂ.૪૨૩૦ થઈ રૂ.૯૨૪૦ આસપાસ રહ્યા હતા.
મુંબઈ ખોળ બજારમાં ટનના ભાવ સોયાખોળના રૂ.૮૦૦થી ૯૦૦ તથા સનફલાવર ખોબના રૂ.૧૪૦૦થી ૧૫૦૦ તૂટયા હતા. અન્ય ખોળી આજે શાંત હતા. દરમિયાન, સરકાર દ્વારા રૂની ખરીદી વધી છે. કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના જણાવ્યા મુજબ વર્તમાન મોસમમાં અત્યારે સુધીમાં આશરે ૯૪ લાખ ગાંસડી રૂની ખરીદી કરાઈ છે. અને હજી પણ આવી ખરીદી ચાલુ રહી છે.
દરમિયાન, સૌરાષ્ટ્ર ગૉડલ ખાતે સિંગતેલના ભાવ રૂ.૧૩૭૫થી ૧૪૦૦ તથા કોટન વોશ્ડના ભાવ રૂ. ૧૨૭૫ રહ્યા હતા. હઝીરા ખાતે કોટન રિફાઈન્ડના ભાવ ૨૦ માર્ચ સુધીના રૂ. ૧૩૨૦ રહ્યા હતા.હઝીરા ખાતે સોપાતેલ રિફાઈન્ડના ભાવ માર્ચના વિવિધ ડિલીવરીના રૂ.૧૩૧૦થી ૧૩૨૦ રહ્યા હતા. ભારતમાં ખાદ્યતેલોની આવાત ફેબ્રુઆરીમાં ઘટી ચાર વર્ષના તળિયે ઉતરી છે. જોકે જન્યુઆરીની સરખામણીએ દેશમાં પામતેલની આયાત ફેબ્રુઆરીમાં વધી છે સામે સોયાતેલ તથા સનફલાવરની આયાતમાં ઘટાડો જોવા મળ્યો છે. પામતેલની આયાત ૩૯ ટકા વપી છે જ્યારે સોયાતેલની આયાત ૩૯ ટકા થટી છે સામે સનફલાવરની આયાત ૨૨ ટકા ઘટી હોવાનું જાણકારો જણાવી રહ્યા હતા.