ઈકો સેન્સિટિવ ઝોન નથી છતાં કોઈ નુકસાન થતું નથી તો જરૂરત શું?
09-01-2025

ગાંધીનગર ખાતે મંત્રી-અધિકારીની બેઠકમાં કિસાન સંઘનો વેધક સવાલ
ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લાના જંગલમાં કે ખુલ્લા જંગલમાં વિહરતા સિંહો સહિત વન્યપ્રાણીઓને અત્યારે ઈકો સેન્સિટિવ ઝોન નથી છતાં પણ કોઈ નુકસાન નથી તો ઈકો ઝોન શા 1 માટે લગાવવામાં આવે છે તેવા વૈધક સવાલ સાથે કૃષિમંત્રી, વન મંત્રી તથા બંને વિભાગના ઉચ્ચ અધિકારીઓની યોજાયેલ બેઠકમાં કિસાન સંઘના અગ્રણીઓએ ધારદાર રજૂઆતો કરી હતી.
જંગલ વિસ્તારમાં ગ્રામીણ લોકો વન અને પર્યાવરણનું રક્ષણ કરતા હોવા સહિતનાં ૧૩ મુદ્દાનું આવેદનપત્ર અપાતા વનમંત્રી દ્વારા યોગ્ય નિરાકરણની બાયંધરી
જંગલ વિસ્તારમાં ખેડૂતો થકી વન અને પર્યાવરણનું રક્ષણ થાય છે તે સૌ જાણે છે છતાં પણ ત્રણ જિલ્લાના ૧૯૬ ગામોને ઈકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ કરવા પ્રેરવી થઈ રહી છે. ઈકો ઝોનનો કાયદો આવવાથી ખેતી પ્રયાન દેશમાં ખેડુતોને ખેતી જ છોડવી પડી શકે તેવી કેટલીક અપરી જોગવાઈ છે. ખેડુતો 1 માટે આસ્તરૂપ જંગલખાતાના જટીલ કાયદાથી ખેડૂતો તથા ખેતીને અત્યારે પણ પારાવાર મુશ્કેલી પડે છે તેની વિસ્તૃત છણાવટ સાથે આ બેઠકમાં કિસાન સંઘે ૧૩ મુદ્દાનું આવેદનપત્ર રજૂ કર્યું હતું.
તેમાં જણાવ્યું હતું કે સાસણ ગીરથી મેંદરડા, ભામણાસા ગીરથી જામવાળા, સાસસ્વાગીરથી સતાધાર, જામવાળાથી દલખાણીયા, તુલશીશ્યામથી પારી જતા માગી જાહેર માર્ગ છે છતાં પણ મરામત કરવા વનવિભાગ દ્વારા અવરોધો ઉભા થાય છે. ગીર સોમનાથ જિલ્લાના સેટલમેન્ટના ૧૪ ગામોને રેવન્યુ વિભાગમાં તબદીલ કરવા નિર્ણય લેવાર્યો છતાં પણ કાર્યવાહી થતી નથી. ખેતી પ્રપાન દેશમાં ખેડૂતો ખેતી છોડે તેવા કોઈ પણ કાયદા હોવા જોઈએ નહીં માટે કિસાન સંઘ ઈકો સેન્સિટીવ ઝોનના કાયદાનો વિરોષ કરે છે.
ભારતીય કિસાન સંધની રજુઆતની નોંપ લઈ ઈકો સેન્સિટીવ ઝોનના કાયદા અંગે ખેડુતોના હિતમાં નિર્ણય લઈ કેન્દ્રમાં હકારાત્મક રીપોર્ટ મોકલવામાં આવશે તેવી વનમંત્રી મુળુભાઈ ભેરા અને કૃષિમંત્રી રાધવજી પટેલ કિસાન સંઘના અગ્રણીઓને ખાત્રી આપી હતી. બે કલાક ચાલેલ આ બેઠકમાં કિસાન સંઘના રાષ્ટ્રીય અધિકારી વિઠ્ઠલભાઈ દુધાત્રા, પ્રદેશ પ્રમુખ જગમાલભાઈ, મહામંત્રી આર.કે.પટેલ, પ્રદેશ સહકાર મંત્રી મનસુખભાઈ પટોળીયા, ગીર સોમનાથ જિલ્લા કિસાન સંઘના પ્રમુખ ભરતભાઈ સોજીત્રા, મંત્રી રાજેશભાઈ પાનેલીયાએ ભાગ લીધો હતો.