સિંચાઈ પાણી પ્રશ્ને ખેડૂતોએ હળવદ માળિયા હાઈ-વે પર ચક્કાજામ કર્યો
12 દિવસ પહેલા

ધ્રાંગધ્રા માઈનોર કેનાલમાથી પાણી ના મળતાં ખેડૂતોનો ગુસ્સો આસમાને
ધ્રાંગધ્રા નજીકની ડી-૨૪ માઈનોર કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે આજે જીલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં ખેડૂતોને સાથે રાખી કોંગ્રેસ કાર્યકરોએ માળિયા હળવદ હાઈ-વે ચક્કાજામ કયી હતો જેને પગલે પોલીસે કોંગ્રેસી કાર્યકરોને ડીટેઈન કર્યા હતા. સિંચાઈના પાણી મુદ્દે ખેડૂતો આકરા પાણીએ જોવા મળ્યા હતા
ચક્કાજામ બાદ સિંચાઈ વિભાગે કહ્યું બ્રાન્ચ લાઈનમાં પાણી છોડ્યું અને પાણી હરિપર સુધી પહોંચ્યું છે
મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ આજે ખેડૂતો અને કોંગ્રેસી કાર્યકરોએ માળિયા હળવદ હાઈવે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. કોગ્રેસના આગેવાન અને ખેડૂતોએ જણાવ્યું હતું કે ૧૫ મેના રોજ સિંચાઈ માટે પાણી આપવાની જાહેરાત કરી હતી ભાદમાં ખેડૂતો એ વિસ્તારમાં રાઉન્ડ મારવા નીકળ્યા ત્યારે પ્રાંગધ્રા ડી-૨૪ માઈનોર કેનાલમાં પાણી મળતું ન હોવાની જાણ કરી હતી. એ પછી કાર્યપાલક ઈજનેરને રજૂઅાત કરી સિંચાઈના પાણીની માગણી કરી હતી. છતાં પાણી નહિ મળતા આજે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો પાણી અંગે ખેડૂત સુરેશભાઈએ જણાવ્યું હતું કે તારીખ ૧૫ ના રોજ પાણી છોડવાની જાહેરાત કરી બાદમાં ૧ તારીખે પાણી મળશે તેમ કહ્યું હતું કાલે વિડીયો બનાવી પાણી છોડયું તેવા સમાચાર વહેતા કર્યા હતા પરંતુ કેનાલમાં પાણી આવ્યું નથી.
ખેતરોમાં મજુર આવી ગયા છે પણ પાણી ના હોવાથી ખેડૂતો હાલાકીનો સામનો કરી રહ્યા છે. કેનાલમાં પાણી મુદ્દે નર્મદા નિગમના અધિકારી કિરીટ ભાંભોરે જણાવ્યું હતું કે ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલમાં ગઈકાલે સાંજે પાણી છે અને ૧૧૯ કિલોમીટર એટલે કે હરીપર- કેરાળા ગામ સુધી પહોંચી ગયું છે .કેનાલની લંબાઈ ૧૨૪ કિલોમીટર છે આજે રાત્રી સુધીમાં તમામ જગ્યાએ પાણી પહોંચી જશે.