જેતપુરમાં ખેડૂતોએ પ્રદૂષણ માફિયાઓ સામે કર્યો વિરોધ
22-01-2025

ભાદર નદીમાં પ્રદૂષિત પાણી છોડી દેવાતાં રોષ
જેતપુર સાડી ઉદ્યોગનો પોલ્યુટેડ વોટર ભાદર નદીમાં છોડી દેવામાં આવતા, ભાદર નદી પ્રદૂષિત બનતા કાંઠા વિસ્તારના ચાર ગામના ખેડૂતોનો પ્રદૂષણ માફિયાઓ સામે વિરોધ કયી હતો, રામ ધુન બોલાવી હતી અને કાર્યવાહીની માંગ કરી હતી.
ચાર ગામના ૨૦૦ ખેડૂતોએ ભાદર નદીના પટમાં જઈ રામધૂન બોલાવી
શહેર તેના સાડી ઉદ્યોગ માટે પ્રખ્યાત છે. તેટલુ જ ભાદર નદીમાં પ્રદૂષણ બાબતે બદનામ પણ છે. સાડીઓના કારખાનાઓનું ગંદુ કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી ભાદર નદીમાં ન આવે તે માટે શૂની સૂચના મુજબ જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિએશન દ્વારા શહેરમાંથી કેમિકલયુક્ત પાણીના નિકાલની ગટરો જ બંધ કરી દીધી છે. દરેક કારખાનાઓનું કેમિકલયુક્ત પાણી શહેરની જૂદી જૂદી જગ્યાએ આવેલ વોટર કલેક્શન સંપમાં ટેન્કર મારફતે નાખવાની અમલવવી કરાવવામાં આવી રહી છે. પરંતુ પ્રદૂષણ | માફિયાઓ હજુ પણ કેમિકલયુક્ત પાણી ઠાલવી ભાદર નદીને પ્રદૂષિત કરી રહ્યા છે.
ભાદર નદીકાંઠાના ચાર ગામો જેમાં લુણાગરી, કેરાળી, લુણાગરા, ઉમરકોટ આ, ગામના ખેડૂતો દ્વારા આજરોજ ભાદર નદીના કાંઠે પ્રદુષણ યુક્ત પાણી વહીને જઈ રહ્યું હોય તે જગ્યા પર પહોંચીને વિરોધ પ્રદૂષણ માફિયાઓ સામે નોંધાવ્યો હતો. સાથે ભાદર નદીના પટમાં રામ ધુન પણ બોલાવી હતી અને પ્રદૂષણ માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
પ્રદુષણ માફિયાઓએ ભાદર નદીને એટલી પ્રદૂષિત કરી નાખી છે કે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે દસ સૌથી વધુ પ્રદુષિત નદીઓમાં સામેલ કરી છે, ઐતિહાસિક ઓળખ સમાન ભાદર નદીના વરસાદના કારણે ચોખ્ખા થયેલા પાણીને ફરી પ્રદુષિત થઈ રહ્યાછે. આ પાણીનો જથ્થો એટલી મોટી માત્રામાં છોડવામાં આવી રહ્યોં છે કે જાણે કોઈ નદી વહેતી હોય. ખેડૂતોઓએ કરેલા આક્ષેપ પ્રમાણે આ આ ચાર ગામના કાંઠા વિસ્તારના ૨૦૦ જેટલા ખેડૂતોને આ પ્રદુષિત પાણીના કારણેખેતરોને જમીન પણ રણ સમાન બનાવી દીધા હોવાનો ખેડૂતો આક્ષેપો કર્યા છે. આ મુદ્દેપ્રદુષણ બોર્ડ કચેરી તેમજ તંત્રને અનેકવાર રજૂઆત કરી હોવા છતાં બોર્ડના સ્ટાફ દ્વારા ક્યારેય કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. જેથી આ પ્રદુષિત પાણીમાં પ્રદુષણ બોર્ડના અધિકારીઓની મિલીભગત હોવાનો આક્ષેપ ઉઠવા પામ્યો છે, સાથે જો ભાદર નદીને પ્રદૂષિત કરનારા માફિયાઓ સામે કોઈ નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.