દક્ષિણ ગુજરાતમાં 90 ટકાથી વધુ આંબા પર સારો મોર ફૂટતા ખેડૂતોમાં આનંદ
13-01-2025

38 હજાર હેક્ટરમાં આંબાનું વાવેતર છે
છેલ્લા કેટલાંક વર્ષોથી વાતાવરણમાં અચાનક પલટો આવતાં કમોસમી વરસાદ પડવાની ઘટનાઓ ખેડૂતો માટે મોટી આફત લઇને આવતી હતી. કેરીનો યોગ્ય પાક થવા છતાં પણ વાતાવરણને કારવો કેરીનાં પાકને ઘણું મોટું નુકસાન થતું હતું પણ આ વર્ષે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને એક આશાનું કિરણ જોવાં મળ્યું છે.
આ વર્ષે ૯૦ ટકાથી વધારે આંબાનાં વૃક્ષો પર મંજરી વહેલી અને મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે અને હાલમાં રોગ જીવાતનું પ્રમાણ પણ જણાનું નથી, જેથી મોટા પ્રમાણમાં કેરીનો પાક ઉતરશે એવી ખેડૂતોને આશા છે, આ સાથે ઘણાં મેં વર્ષોથી થતાં મેં ભારે નુકસાનમાંથી પણ મુક્તિ મળશે તેવું લાગી રહ્યું છે.
આ વર્ષે કેરી પાકને જરૂરી ઠંડી સાથે મંજરી વહેલી અને મોટા પ્રમાણમાં ફૂટી: રોગ-જીવાતનું પ્રમાણ પણ ન હોટ મબલખ પાક ઉતરવાની આશા
રાજા હોય કે રંક સુહી હોય કે સંત બધાને જ આ વર્ષે કેરી ખાવા મળશે એવા ખુશીનાં સમાચાર મળી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં હાલમાં કેરીના પાકને જરૂર પડતી ઠંડી સાથે આંબાવાડીઓમાં આંબાનાં વૃક્ષો પર મંજરી વહેલી અને મોટા પ્રમાણમાંજોવા મળી રહી છે. સમગ્ર વિશ્વમાં ૨ હજાર જેટલી અને ભારતમાં ૧૦૦ જેટલી કેરીની જાત છે. દુનિયામાં સૌથી મોથી કેરી મિયા ઝાકી કે જે જાપાનમાં થાય છે. પણ હવે જુનાગઢના ભાલષલમા વિશ્વમાં પાકતી સૌથી મોંથી કેરી મળશે, જેનું વાવેતર હાલમાં થયું છે. દુનિયામાં ૪૩.૯૯ લાખ મેક્ટરમાં આંબાનું વાવેતર છે, જ્યારે દક્ષિલ ગુજરાતમાં ૩૮ હજાર હેક્ટર આંબાનું વાવેતર છે.
કમોસમી વરસાદને પગલે ઘણા વર્ષોથી નુકસાન સહન કરી રહેલા ખેડૂતોએ આ વર્ષે નુકસાન સહન કરવું નહીં પડે
નાયબ બાગાયત અધિકારી એન.એમ.પટેલે જણાવ્યું કે, ચાલુ વર્ષેકેરીના વૃક્ષો માટે જોઈએ એવી યોગ્ય ઠંડી પડી રહી છે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં સારી ફૂટ આવી છે, હાલમાં રોગ-જીવાતનું પ્રમાણ જણાતું નથી. જેથી સારા પ્રમાણમાં કેરીનો પાક ઉતરશે. બાગાયત નિરીક્ષક બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે, એક આંબાના મોર (મંજરી)માં સરેરાશ ૨ હજાર ફૂલો હોય છે, જાત પ્રમાણે ૧ અને વધુમાં વધુ ૩ કેરી મળે છે, જ્યારે તે પૂર્ણ વિકાસ પામે છે. આવા પુષ્પ વિન્યાસ દીઠ એક કેરી જ ઉભયલિંગ ફૂલો પૈકી ૧૦૦ ઉભયલિંગ ફૂલોમાં જ જુવારના દાણા જેટલી કેરી બેસે છે, ૩૦ કેરી વટાણા જેવડી થાય.
ત્યારબાદ ૧૦ કેરી જ લાખોટા જેટલી થાય, પછી ૩ કેરી ઈંડા જેટલી થાય, આમ ૧૦૦૦ પુષ્પ વિન્યાસ દીઠ ૨૦૦ કેરી જ મળે છે. મોર ખીલ્યા પાછી દવાનો છંટકાવ બને ત્યાં સુધી ન કરવો જોઈએ, ખીલેલા મોરમા દવાનોછંટકાવ કરવાથી પરાગ નયનની પ્રકૃતિમાં વિક્ષેપ ઊભો થાય છે, અને કેરી ભેંસતી નથી, જેના કારણે પાક ઓછો મળે છે, મોર નીકળવાની શરૂઆતથી જ સવાર-સાંજ આંબાવાડીનું જાત નિરીક્ષણ કરવું જોઈએ, જેથી આગોતરા પગલા ભરી પાકને નુકસાન થતું અટકાવી શકાય છે. ફળનો રાજા કેરી સર્વશ્રેષ્ઠ હાફુસ એક હાફુસનું વૃક્ષ આપણે રોપીએ તો તે ચાર-પાંચ વર્ષમાં ફળ આપતું થાય છે અને ૨૦૦ વર્ષ સુધી ફળ આપી શકે છે.
જુજવા ગામનાં અગ્રણી ખેડૂત નવીનભાઈ રામભાઈ પટેલે જણાવ્યું કે, આ વર્ષે મંજરી વહેલી અને સારા પ્રમાલમાં જોવા મળે છે, જો આ વર્ષે કુદરતી વાતાવરણ સારું રહેશે તો મબલક પાક ઉતરશે. ઘણાં વર્ષો બાદ આ વર્ષે કેરીનાં પાક માટે આશાવાદી શરૂઆત થઈ છે, વહેલો મોર અને તે પણ સારા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે ત્યારે વાતાવરણ અને ખેડૂતોની તકેદારી મહત્વનો ભાગ ભજવશે.