દરેક નિરાધાર દીકરીનો આધાર બનશે ખેડૂત પુત્ર ઉપેન્દ્રસિંહ ચાવડા
09-04-2025

સેવા અને સાદગીનું ઉત્તમ ઉદાહરણ એટલે ખેડૂત પુત્ર ઉપેન્દ્રસિંહ ચાવડા
"ભવ્ય અને દિવ્ય તુલસી વિવાહ મહોત્સવ તેમજ ૧૧૧ દિકરીબાના પંચમ સમૂહ લગ્નોત્સવ" ધંધુકા ના આંગણે આગામી 2 નવેમ્બર 2025 ના રોજ યોજાશે. આસ્થા ફાઉન્ડેશન તથા શ્રી યુવા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા ધંધુકા તેમજ સમસ્ત જાળીયા ગામ દ્વારા ભવ્ય તુલસી વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે 2 નવેમ્બર 2025ના રોજ ધંધુકાના જનકપુરી મુકામે યોજાશે.
આ વિવાહ મહોત્સવ હેઠળ સનાતન હિન્દુ ધર્મના સર્વજાતિ દિકરીબાના પંચમ સમૂહ લગ્નોત્સવ યોજાશે.
જેમાં કુલ ૧૧૧ દિકરીબાના સમુહ લગ્ન કરાવવામાં આવશે. આ શ્રેષ્ઠ કાર્ય માટે કોઈપણ વ્યક્તિ કે સંસ્થા પાસેથી સહાય અથવા અનૂદાન લેવાતા નથી, જે દર્શાવે છે કે આ સમગ્ર આયોજન સંપૂર્ણપણે નિષ્કામ ભાવના અને સેવા તત્પરતાથી થયું છે.
દિકરી તુલસીનો કયારો નામે ઓળખાતા આ મહોત્સવના મુખ્ય આયોજક શ્રી ભવાની બિલ્ડર્સ - અમદાવાદના ધંધુકા ના જાળીયા ગામના એવા ઉપેન્દ્રસિંહ ચાવડા (ભાલનો સાવજ) આ તુલસી વિવાહ મહોત્સવ માત્ર એક સામૂહિક લગ્નોત્સવ નથી, પણ એ દરેક નિરાધાર દીકરી, અનાથ બાળકીઓ અને શરીરમાં કોઈ ખોટ કે ખાંપણ ધરાવતી વધૂઓ માટે નવા જીવનની શરૂઆતની આશા છે.
જેઓના માતા-પિતા નથી, અથવા જીવનમાં કોઈનો સાથ નથી, અથવા શારીરિક રીતે અવરોધ હોવા છતાં ઉંચા સ્વપ્નો છે – એવી દીકરીઓ માટે આ સમૂહ લગ્ન એક આશીર્વાદ સમાન છે. આ કાર્યક્રમ સમગ્ર સમાજમાં દિકરીબાના માન-સન્માન અને સમૂહ વિવાહના સંસ્કારી સંદેશને વ્યાપક બનાવે તેવી આશા છે.