પંદર દિવસથી રેલવેએ ફાટક બંધ કરી દેતા ખેડૂતોએ બે ટ્રેન રોકી દીધી
12-02-2025

વાંકાનેર તાલુકાના ધમલપર ગામની સીમમાં ધમાલ મચી ગઈ
વાંકાનેર તાલુકાના ધમલપર ગામ નજીક આવેલા ૯૨ નંબરના રેલવે ફાટકને રેલવે તંત્રે ગત તા.૨૫મીથી બંધ કરી દેતા આ ગામના નાગરિકો અને ખેડૂતોને જવા આવવાનો રસ્તો અવરોધાઈ જતાં લોકોએ રેલવે ટ્રેક પર આવી ટૂંક ઉપર જ સૂઈ જઈ ટ્રેન રોકી દેતા રેલવેતંત્રમાં દોડધામ મચી ગઈ હતી. વાકાનેર નજીકના ધમલપર ગામ પાસે રેલવેનું ૯૨ નંબરનુ કાટક આવેલુ છે.
એમ કહેવાય છે કે અહી અંડરબ્રિજ બનાવવાનો છે. આ બાબતે રેલવએ લોકોને જાણ કર્યા વગર આ ફાટકને ગત તા.૨૫મી જાન્યુઆરીથી બંધ કરી દીધું હતું. એ પછી અહી કોઈ જ કામ ચાલુ ન થતા અને ફાટક બંધ રહેતા આ ગામના ખેડૂતો અને નાગરિકોએ રેલવેને વારંવાર રજુઆતો કરો હતી રેલવે સૂત્રો કહે છે કે એથી રેલવેએ ડાઈવર્ઝન આપ્યું છે પણ લોકો કહેતા કે જયારે કામ એક્યુઅી ચાલુ થાય ત્યારે જ ફાટક બંધ કરો . પણ રેલવએ કોઈ વાત સાંભળ્યા વગર ફાટકને બંધ કરી દીધું હતુ. આથી લોકોને સમસ્યા થઈ હતી.
ખેડૂતો અને ગ્રામજનોના રસ્તે જવામાં રેલવેએ અંતરાય ઉભો કરતા લોકો ટ્રેક પર સૂઈ ગયા
આ માટે રેલવેને રજુઆતો કરતા એક બે દિવસમાં ફાટક ખોલી દેશું એવા આશ્વાસનો મળતા હતા.આખરે કેટાળી ગયેલા ગ્રામજનો અને આ ફાટક આસપાસના ખેડૂતો રેલવે ટ્રેક પાસે પહોંચી ગયા હતા. તેમજ રેલવે ટ્રેક પર સુત્રોચ્ચાર કરી તેમજ દેખાવો ટૂંક વચ્ચે લાલ વાવટા ફરકાવી ટૂંક વચ્ચે જ સૂઈ ગયા હતા. આ વખતે અમદાવાદ તરફથી આવતી અરનાકુલમ ઓખા ફાસ્ટ ટ્રેન આવતી હતી. તેમજ સામે રાજકોટ તરફથી ઓખા અમદાવાદ રૂટની માલગાડી આવતી હતી આ બન્ને ટ્રેનને રોકી દેવામાં આવી હતી. આ બન્ને ટેનને રોકી દેવાતા રેલવે અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. રેલવે ટ્રેક પાસે રેલવે પ્રોટેક્શન ફોર્સની ટુકડીઓ ઉતારી દીધી હતી.
આ પછી રેલવે અધિકારીઓએ બન્ને આંદોલનકારીઓ સાથે વાત કરી ફાટક ખોલી દીધું હતું. એ પછી આ બન્ને ટ્રેન એ પછી રવાના થઈ હતી.આખરે આ પ્રશ્ને સુખદ સમાધાન સપાતા બન્ને પક્ષે સમજુતી કરી લીધી હતી.