કેસર કેરીના કેપિટલ તાલાળામાં ખેડૂતોએ વીસ હજાર આંબા ઊખાડી નાંખ્યા
05-05-2025

ગત વર્ષ કરતાં પચાસ ટકા ઓછા પાક અને નફાના કારણે
ગીર વિસ્તારના કેરીનો પાક લેતા ખેડૂતોએ આ વર્ષે વીસ હજાર જેટલાં આંબાને જડમૂળમાંથી કાઢીને અન્ય વિકલ્પ તરફ પોતાનો નિર્વાહ ચલાવવાનું પસંદ કર્યું. ૨૬મી એપ્રિલથી તાલાળા ગીરના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક ચાલું થઈ હતી. આજે ૮૧૦૦ બોક્સની આવક આવી હતી અને ખેડૂતોને દસ કિલોના બોક્સનો તળીયાના રૂ.૫૫૦થી લઈને ટોચનો રૂ. ૧૧૦૦નો ભાવ મળ્યો હતો. હાલમાં ગુજરાતમાં માવઠાની અસર મધ્ય ગુજરાતમાં વિશેષ જોવા મળી છે.
સૌરાષ્ટ્ર પંથકમાં માવઠાની કોઈ વિશેષ અસર નથી જેના કારણે વર્તમાન પાકને કોઈ નુકસાન થયું નથી. પરંતુ ગત વર્ષ કરતાં આ વખતે કેરીનો પાક પચાસ ટકા જ થયો છે તેવું તાલાળા માર્કેટિંગ પાર્ડનું માનવું છે. આ અંગે તાલાળઆ માર્કેટિંગ વાર્ડના રમેશભાઈ ડાંડે જણાવ્યું હતું કે ગઈસાલ પણ પાક ઓછો જ ધયાન તો જેની અહીં વ્યાપક અસર થઈ છે. ગ્લોબલ વૉર્મિંગને કારણે દર વર્ષે આંબામાં ભરચક મોર આવ્યા બાદ કોઈને કોઈ કારણસર ફળનું બંધારણ થતું નથી.
ઋતુઓના બદલાવને કારણે આંબાના મોરમાંથી કેસર કેરીઓ ન પાકતાં ખેડૂતોમાં નિરાશા
જેના કારણે તેની સીધી અસર કેસર કેરીની આવક પર થઈ રહી છે. ખેડૂતો પોતાના ખેતરમાં આંબાને ઊખાડી રહ્યા છે. અમારે ત્યાં આ એક સામાન્ય સમાચાર છે. વધુ માવજત અને ઓછી આવકને કારણે ખેડૂતોમાં નિરાશા વ્યાપી | ગઈ છે. છેલ્લા કેટલાંક દિવસોમાં ૨૦,૦૦૦ જેટલા કેસર કેરીના આંબાને ખેતરોમાંથી કાઢી નાંખવામાં આવ્યા છે. માવજત પાછળ થતો ખર્ચ અને યોગ્ય સમયે પાક ન મળતા ખેડૂતોને નફા કરતાં નુકસાન જવાનો ભય વિશેષ રહે છે. વધુ કેસરના આંબાની સાથે કેટલાંક અન્ય પાક ઊગાડી ન શકાતા હોવાથી પણ ખેડૂતને અન્ય સિઝનમાં પણ યોગ્ય લાભ થતો નથી.
આ વર્ષે કેસરનું ફળ પણ સારું છે. તાપમાન પણ ૩૮ ડિગ્રીથી લઈને ૪૦ ડિગ્રીની વચ્ચે રહે છે. પરંતુ મ્હોરમાંથી કેરી બનાવાની પ્રક્રિયામાં ગ્લોબલ વૉર્મિંગની સ્પષ્ટ અસર જોવા મળી રહી છે. આંબાના મોર એટલા સંવેદનશીલ હોય છે કે એકવાર જો વાતાવરણ બદલાય તો તેની સીધી અસર કેરીઓના પાક પર થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે યુનેસ્કો દ્વારા ગુજરાતના ગીરની કેસર કેરીને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. જે પ્રમાણે ગુજરાતની કેસર કેરી, ભાલિયા ઘઉં, કચ્છી ખારેક ગુજરાતના અતિ મૂલ્યવાન ખેત ઉત્પાદન છે. છેલ્લા દસ વર્ષથી ગીરની કેસર કેરીમાં ખેડૂતોને યોગ્ય આવક ન થતાં અનેક ખેડૂતો કેસરના કલમી આંબાની જગ્યાએ અનાજની ખેતી તરફ વળી રહ્યા છે