નાણાં મંત્રી કૃષિ ક્ષેત્ર માટે બજેટ ફાળવણી 14 થી 15 ટકા વધારે એવી શક્યતા

24-01-2025

Top News

વિવિધ દેશી તથા આયાતી ખાદ્યતેલોના ભાવમાં પીછેહટ

મુંબઈ તેલિ-બિયાં બજારમાં આજે ખાદ્યતેલોના ભાવ બેતરફી વધઘટ વચ્ચે એકંદરે પીછેહટ બતાવી રહ્યા હતા. વિશ્વબજારમાં મલેશિયા ખાતે પામતેલના વાયદાના ભાવ નજીકની ડિલીવરીમાં ધીમો સુધારો જ્યારે દૂરની ડિલીવરીમાં ૧૮ પોઈન્ટનો ઘટાડો બતાવી રહ્યા હતા. મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવસિંગતેલના રૂ.૧૪૯૫ વાળા રૂ.૧૪૯૦ રહ્યા હતા જ્યારે કપાસીયા તેલના ભાવ રૂ.૧૨૭૦ વાળા રૂ.૧૨૪૦ રહ્યા હતા.

વિવિધ તેલીબિયાં, કઠોળ તથા શાકભાજીનું ઉત્પાદન વધારવા ઊંચી પેદાશ આપતા બિયારણો વિકસાવવામાં આવશે

મુંબઈ આયાતી પામતેલના ભાવ રૂ.૧૩૧૦ રહ્યા હતા. સૌરાષ્ટ્ર ગોંડલ ખાતે સિંગતેલના ભાવ રૂ.૧૪૦૦થી ૧૪૨૫ તથા કોટન વોડના ભાવ ઘટી રૂ.૧૧૯૦થી ૧૨૦૦ રહ્યાના નિર્દેશો હતા. દરમિયાન, મુંબઈ બજારમાં સોયાતેલના ભાવ રિફાઈન્ડના રૂ.૧૨૮૫ વાળા રૂ.૧૨૮૦ રહ્યા હતા. જ્યારે સનફલાવરના ભાવ રૂ.૧૨૯૫વાળા રૂ.૧૨૯૦ તથા રિફાઈન્ડના રૂ. ૧૩૭૫ વાળા રૂ. ૧૩૯૫ રહ્યા હતા. મર્ઝા-સરસવ તેલના ભાવ રૂ.૧૩૮૦વાળા રૂ.૧૩૫૦તથારિકાઈન્ડના રૂ.૧૩૯૦વાળા રૂ.૧૩૮૦ રહ્યા હતા.

મુંબઈ દિવેલના હાજર ભાવ તથા હાજર એરંડાના ભાવ આજે વધ્યા મથાળે શાંત હતા જ્યારે એરંડા વાયદા બજારનાસમાચાર ઉછાળે વેચવાલી બતાવતા હતા તથા વાયદાના ભાવ જે વધી રૂ.૬૫૦૦ ઉપર ગયા હતા તે આજે રૂ.૫૦૦ની અંદર બોલાતા થવાના નિર્દેશો હતા. દરમિયાન, મુંબઈ ખોળ બજારમાં ટનના ભાવ એરંડા ખોળના રૂ.૫૦ વધ્યા હતા જ્યારે સોયાખોળના ભાવ ટનના રૂ.૨૦૦ ઘટયા હતા જ્યારે અન્ય ખોળો અથડાતા રહ્યા હતા. દરમિયાન, દેશના નાણાં પ્રયાન દ્વારા ફેબ્રુઆરીના આરંભમાં રજૂ ધનારા ભજેટમાં કૃષી ક્ષેત્ર માટે ફાળવલી આશરે ૧૪થી ૧૫ ટકા વધારવામાં આવશે એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. આવી ફાળવણી વધારાશે તો છ વર્ષનો રેકોર્ડ તૂટશે એવી ગણતરી બતાવાતી હતી.

વધુ પેદાશ આપતા બિયારણો વિકસાવવા તથા સ્ટોરેજ, સપ્લાય ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા ઉપરાંત દેશમાં કઠોળ, તેલીબિયાં, શાકભાજી વિ.નું ઉત્પાદન વધારવા બજેટમાં આવી ફાળવણી વધારવામાં આવશે એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.

દરમિયાન, મુંદ્રા- હઝીરા ખાતે વિવિષ ડિલીવરીના ભાવ પામતેલના રૂ. ૧૨૯૫થી ૧૩૦૫ તથા સનફલાવરના રૂ.૧૩૪૦થી ૧૩૫૫ બોલાઈ રહ્યા હતા. સોયાબીનની આવકો મધ્ય-પ્રદેશમાં ૧ લાખ રૂપ હજાર ગુણી તથા મહારાષ્ટ્રમાં પણ ૧ લાખ ૩૫ હજાર ગુણી આવી હતી. અમેરિકામાં ઓવરનાઈટે ટ્રેડમાં સોયાબીનના ભાવ ૧૧૨ પોઈન્ટ ઘટયા હતા જ્યારે સોધાતેલના ભાવ ૧૩૫ પોઈન્ટ તૂટયા હતા. સામે સોયાખોળના ભાવ ત્યાં ૪૮ પોઈન્ટ વધ્યાના સમાચાર મળ્યા હતા.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates