કૌભાંડ થાય, અથવા છુપાવવું હોય ત્યારે જ આગ લાગે છેઃ દિલીપ સંઘાણી
07-03-2025

થાનમાં સરકારી ગોડાઉનમાં આગથી 70 હજાર કિલો મગફળી બળીને ખાખ
થાનમાં સરકારી અનાજના ગોડાઉનમાં સવારના સમયે અચાનક આગ લાગતા અંદાજે બે હજારથી વધુ મગફળીની બોરી બળીને ખાખ થઈ ગઈ છે. આગની ઘટનામાં ઈકો અને ગુજકોમાસાલના ચેરમેન તેમજ પૂર્વ મંત્રી દિલીપ સંઘાણીએ આગને સામાન્ય સંજોગોમાં લાગેલી આગ માનવાનો ઇન્કાર કર્યો છે અને ઘટના પાછળ કૌભાંડની આશંકા વ્યક્ત કરી છે.
કૌભાંડ થાય, અથવા છુપાવવું હોય ત્યારે જ આગ લાગે છેઃ દિલીપ સંઘાણી
થાનના હીટરનગરમાં આવેલી સરકારી (એફસીઆઈ) અનાજના ગોડાઉનમાં સવારના સમવે અચાનક આગ લાગી હતી. સુરેન્દ્રનગર, પાન અને મોટીલા નગરપાલિકાની ફાયર ફાયટરની પાંચ જેટલી ટીમો સ્થળ પર દોડી આવી હતી અને પાણીનો મારો પરો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથયાં હતા. આગ પર કાબુ મેળવવા કાયર ફાયટરની ટીમ દ્વારા જેસીબી સહિતના સાયનો વડે ગોડાઉનની દિવાલ સમિત અમુક શટરીને પણ તોડવામાં આવ્યા હતા અને અંદાજે બે થી ત્રણ કલાકની ભારે જહેમત ઉઠાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથધર્યા હતા. સવારનો સમય હોવાથી સદ્દનસીબે સરકારી ગોડાઉનમાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી હતી જો કે સરકારી ગોડાઉનમાં સરકારે ટેકાના ભાવે ખરીદી કરેલી અંદાજે ૨૦૦૦ બોરી (અંદાજે ૭૦ હજાર કિલો) બળીને ખાખ થઈ ગઈ હતી.
થાનની ઘટનામાં દિલીપ સંઘાણીએ કહ્યું કે, 'આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં લાગતી નથી. જ્યારે કૌભાંડ થાય અથવા કૌભાંડને છુપાવવું હોય ત્યારે આગ લગાડવામાં આવે છે. ભૂતકાળમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગના રિપોર્ટ હજુ સુધી બહાર આવ્યો નથી. ગોડાઉનના માલિકને કેન્દ્રમાં રાખીને સંપૂર્ણ તપાસ થવી જોઈએ. ગોડાઉનના માલિક, અધિકારીઓ અને કર્મચારીઓની કૌભાંડમાં સંડોવણી હોઈ શકે છે.