ગુજરાતમાં ભર વૈશાખે અષાઢી માહોલ 10 જિલ્લામાં માવઠુંઃ કરા પણ પડ્યા

05-05-2025

Top News

વીજળી પડતાં વિરમગામના ખેડૂતનું મોત

ગુજરાતમાં ઉનાળો હજુ ટોર ગિયરમાં આવી જ રહ્યો હતો ત્યાં વેસ્ટર્ન ડિસ્ટબથી વાતાવરણમાં પલટો આવતા તેના પર બ્રેક લાગી ગઇ છે. આજે ખાસ કરીને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ પડયો હતો. અમદાવાદના વિરમગામમા વીજળી પડતાં ખેડૂતનું મોત થયું હતું. ગુજરાતના મોટાભાગના જિલ્લામાં આગામી પાંચ દિવસ મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. માવઠાને પગલે ખેડૂતોને માથે ચિંતાના વાદળો ઘેરાયા છે.

પાલનપુરમાં ૧, વિજાપુર-દાંતિવાડા-વડગામમાં અડધા ઈંચથી વધુ વરસાદ: આગામી પાંચ દિવસ વરસાદની આગાહી

 

હેવામાન વિભાગે ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામમાં પાંચ દિવસમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી કરી હતી. જેના પગલે રવિવારના રોજ વહેલી પરોઢે ત્રણેક વાગ્યાના સુમારે એકાએક વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો હતો. જોતજોતામાં વાવાઝોડા સાથે છુટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદના ઝાપટા શરૂ થયાં હતા.

બનાસકાંઠા જિલ્લાના ૬ અને મહેસાણા જિલ્લાના ૪ તાલુકાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. પરંતુ પાટણ જિલ્લો આખોય કોરાધાકોર રહેવા પામ્યો હતો. ઉત્તર ગુજરાતના ૧૦ તાલુકાઓમાં ભર ઉનાળે ૧ મીમીથી ૨૦ મીમી સુધી વરસાદ નોંધાયો હતો. પરોઢીયાના સુમારે વરસેલા કમોસમી વરસાદને પગલે મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના દિલની ધડકનો વધારી દીધી હતી. વિજાપુર સહિત કેટલાક સ્થળોએ બરફના મોટા કરા પડ્યા હોવાના અહેવાલ છે.

શનિવારની મોડી રાત્રે પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, ધાનેરા સહિતના વિસ્તારોમા વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. છે. તીવ્ર ગતિએ વાવાઝોડું ફુંકાયા બાદ ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. બનાસકાંઠા જિલ્લામાં ઉનાળુ બાજરીનો પાક તૈયાર થઈ ગયો હોવાથી હાલ ખેડૂતો દ્વારા ખેતરોમાં બાજરીની કાપણી શરૂ કરવામાં આવી છે. જેમાં કેટલાક ખેડૂતોના ખેતરોમાં કાપણી કરેલો બાજરીનો પાક લેવાનો બાકી હતો અને વરસાદ પડતાં આ પાક પલળી જવાથી બાજરી અને ઘાસચારો કાળો પડી જવાથી ખેડૂતોને નુકશાન થયું હતું.

આગામી પાંચ દિવસ ક્યાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ

૫-૬: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર, અમરેલી, રાજકોટ, જુનાગઢ, મોરબી, ગીર સોમનાથ, કચ્છ, દીવ.

૭: છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ.

૮ : આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, સુરત, તાપી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, દીવ.

૨૯: નર્મદા, ભરૂચ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, બોટાદ

માવઠાથી ઉનાળુ પાકને નુકસાનની ભીતિ

માવઠાને પગલે ખેડૂતોની ચિંતામાં વિધારો થયો છે. જાણકારોને મતે, હજુ આગામી પાંચ દિવસ માવઠાની સંભાવના છે અને જેના પગલે મગ, ચોળી, બાજરો, ઘાસચારો તેમજ બાગાયતી પાકમાં કેરી, પપૈયાને નુકસાન સંભાવના છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates