ગુજરાતમાં ટેકાના ભાવે તુવેરીની ખરીદી રાતોરાત બંધ કરી દેવાતા ભારે ઉહાપોહ
19-03-2025

નાફેડ દ્વારા ખરીદી કેન્દ્રો બંધ કરાતા સંખ્યાબંધ ખેડૂતોની કફોડી હાલત
ગુજરાત માં ખેડૂતોએ રોકડિયા પાક તરીકે રવિ પાક તુવેરનું વાવેતર બહોળા પ્રમાણમાં કુરેલ હતું ચોમાસામાં ખરીફ પાક મગફળી સોયાબીન કે અન્ય પાકો વચ્ચે આંતરપાક તરીકે ખેડૂતો તુવેરનું વાવેતર કરતા થયા છે.
વર્ષ ૨૦૨૪ ૨૫ના શરૂઆતમાં તુવેરના ભાવ ૧૮૦૦ થી ૨૦૦૦ સુધીના બજાર ભાવો હોય. આંતરપાક અને રવિ પાકમાં તુવેરનું વાવેતર મોટા પ્રમાણમાં કરેલ હતું. અચાનક ટેકાના ભાવે તુવેરની ખરીદીના કેન્દ્ર બંધ કરવામાં આવતા અનેક ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે,
કેન્દ્ર સરકારે તુવેરની આયાતની છૂટ આપતા ખુલ્લા બજારમાં તુવેરના ભાવ ઘટયા બીજી બાજુ ટેકાના ભાવે ખરીદી બંધ કરાતા ખેડૂતોને મોટું નુકસાન
કેન્દ્ર સરકારે તુવેરની આયોતની છૂટ, આપતા આ વર્ષે તુવેરના ખુલ્લા બજારમાં ભાવ સતત ઘટતા રહ્યા છે. તુવેરનો પાક - તૈયાર થઈને બજારમાં આવતા ટેકાના -બુજારેચા ભાવથઈજતાગુજરાતમાં ખેડૂતોએ તુવેર આપવા સરકારના ઓનલાઈન પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન - કરાવેલ હતું વરસાદ સતત અને ભારે વરસાદથી તુવેરના વાવેતરને પણ મોડું થયું હોવાથી તુવેરનો પાક પણ મોડો થશે. તેવા સંકેત હોવા છતાં સરકારે ત્રણ માર્ચના રોજ તુવેર ખરીદીનું કેન્દ્ર નાફેદ દ્વારા શરૂ કરવામાં આવેલ રજીસ્ટ્રેશન ખેડૂતનો વારો આવે ત્યારે તુવેર તૈયાર ના હોય. ગુજરાત કિસાન સભાએ રજૂઆત કરી ખેડૂતો એ રજીસ્ટ્રેશન કરાવેલ હોય એ તમામ ખેડૂતોની તુવેર લેવા ૩૧ માર્ચ સુધી ખરીદ કેન્દ્ર ચાલુ રાખવા માંગ કરેલી હતી. ખેડૂતોની રજૂઆત અંગે નાફેડના અધિકારીઓએ આશ્વાસન પણ આપેલ હતું કે દરેક ખેડૂતની રજીસ્ટ્રેશન કરેલી તુવેર લઈ લેવામાં આવશે કોઈ ખેડૂતને અન્યાય થશે નહીં. પરંતુ નાફેડ દ્વારા અચાનક તુવેર ખરીદીનું કેન્દ્ર ૧૭ માર્ચના રાત્રે ૧૨ વાગ્યાથી બંધ કરી દેવામાં આવેલ છે અને પોર્ટલ બંધ થતાં કોઈ ખેડૂતની ટેકાના ભાવે તુવેરની ખરીદીનું બિલ બનશે નહીં તેવું ખરીદ કેન્દ્ર ઉપરથી જાણવા મળતા ખેડૂતો નિરાશ થયા છે. ખરીદી કેન્દ્રો પુનઃ શરૂ કરવાની રજૂઆત કરવામાં આવી છે.