ગુજરાતમાં ગૌશાળાને પશુ દીઠ 100ના ખર્ચ સામે સરકારની માત્ર 30ની સહાય

04-01-2025

Top News

ગૌવંશ માટે નજીવી સહાય અને ગાયને રાજ્યમાતા જાહેર કરવામાં ઉપેક્ષા

શુધ્ધ દૂધ, દહીં, ઘી, છાશ, બટરચીઝ દરેકને જોઈએ છે. રોજિંદા ખોરાકનો તે ભાગ હોય છે પરંતુ, સમસ્ત જગતના કલ્યાણ માટે આ નિર્દોષ ભાવે પૂરું પાડતી રહેલી ગીમાતાના નિભાવ અને તેના સન્માનમાં નેતાઓને બહુ રસ હોતો નથી. પાંજરાપોળોની વારંવારની રજૂઆતો, માંગણી છતાં હાલ રાજ્યમાં ગૌશાળા-પાંજરાપોળને પશુ પુ દીઠ હાલ અંદાજે રૂા. ૧૦૦ના ખર્ચ સામે રૂ।.૩૦ની સહાય ચૂકવાય છે.

લીલો ચારો અગાઉ રૂ।.૫૦-૫૫નો તે મણના હવે રૂા. ૧૦૦થી વધુઃ જીવદયા અને પર્યાવરણપ્રેમીઓની રજૂઆતો હજુ સુધી બેઅસર રહી

તાજેતરમાં સરકારે રાજ્યની ૩૩ ગૌશાળાઓને પશુ નિભાવ માટે રૂ।.૧૯.૫૦ કરોડની સહાય ચૂકવી છે જેનો લાભ ૭૦, ૨૦૦ પશુઓને મળશે તેમ જાહેર થયું છે. આ સહાયની રકમ છે, તેના કરતા વધારે રકમ તો એસ્ટીમેટના ખર્ચ ઉપરાંત વધારાના, ઓનના રાજકોટ મહાપાલિકાએ એક પ્રોજેક્ટમાં ચૂકવ્યા છે. જ્યારે અહીં તો જીવદયાનું ઉત્તમોત્તમપૂણ્ય કાર્ય માટે નાણાં આપવાના છે. પાંજરાપોળના સૂત્રોએ જણાવ્યું કે અમે સરકારને વારંવાર રજૂઆતો કરી છે અને આશા છે કે આ નજીવી રકમ કંઈક વાજબી કરાશે. હાલ, પશુ દીઠ સરેરાશ રૂા.૧૦૦ જેવો ખર્ચ આવે છે, અગાઉ લોલો ચારો રૂા.પ .૫૦-૫૫ના મણ લેખે મળતો તે હવે રૂ।.૧૦૦ આસપાસ ભાવ ચૂકવવા પડે છે, રાજકોટ પાંજરાપેળમાં નાના-મોટા પાંચ હજાર પ્રાણીઓ છે અને રોજ અઢી હજાર મણ પાસ જોઈએ છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા ખેડૂત આગેવાનોએ, પર્યાવરણની ચિંતા કરનારાઓએ તેમજ અગાઉ માલધારી સમાજે પણ સરકારને મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં રાજ્યમાતા જાહેર કરવા રજૂઆત કરી છે, આનાથી ગાયને કોઈ પણ કૃતશએ આપવું જ જોઈએ તેવું સન્માન આપવાની વાત છે. છતાં તે જાહેરાત પણ થઈ નથી. સરકારે હમણાં ૩૩ ગૌશાળાને પશુનિભાવ માટે જે સહાય આપી તેથી વધુ તો રાજકોટ મનપા એક પ્રોજેક્ટમાં ઓનના ચુકવી દે છે!

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates