જંગલમાં 300થી વધુ અને જંગલની બહાર 400 સિંહ હોવાનું અનુમાન

12-05-2025

Top News

આજથી એશિયાટિક સિંહોની આખરી તબક્કાની ગણતરી

સાસણ ગીર સહિતના વિસ્તારોમાં જવાં સાવજોનો વસવાટ છે ત્યાં પ્રથમ તબક્કે સિંહોની સંખ્યાનો અંદાજ મેળવવા પ્રાથમિક તબક્કાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આવતીકાલથી સિંહોની આખરી ગણતરીનું કાર્ય શરૂ કરાશે. સાવજોની વસતીનો આંક જાણવા ૧૨ જિલ્લાના ૫૮ તાલુકામાં ૩૫ હજાર ચો.મી. વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે.

સાવજોની સંખ્યા જાણવા ૧૧ જિલ્લાના ૫૮ તાલુકામાં ૩૫ હજાર ચો.મી. વિસ્તાર આવરી લેવાયો, પ્રાથમિક અંદાજની કામગીરી પૂર્ણ

તા. સામાજા ચારાની યાતેથી વસતી ગણતરીનો અંદાજ મેળવવાની કામગીરી શરૂ કરી તા.૧૧ના બપોરના ૨ સુધી પ્રથમ તબક્કાનું કાર્ય પૂર્ણ કરાયું હતું. તા. ૧૧નાબધોરથી તા. ૧૨ના બપોર કામગીરી રાખવામાં વન વિભાગના નેજા હેઠળ ૩ હજાર જેટલા લોકો ગણતરીના કાર્યમાં જોડાયા છે.

રાજકોટ, પોરબંદર જિલ્લામાં પ્રથમવાર સિંહ નોંધાયા

પ્રાથમિક તબક્કાની ગણતરીના અંદાજમાં એ મહત્વની બાબત સામે આવી છે કે, આ વખતે પ્રથમ વખત જ રાજકોટ અને પોરબંદર જિલ્લામાં સિંહોની સંખ્યા જોવા મળી છે. સિંહોને શોધીને ફોર્મ ભરવાની કામગીરી કરી અંદાજમાં રેવન્યુ વિસ્તારમાં સિંહોની સંખ્યા વર્ષે તેવું અનુમાન છે. વર્ષ ૨૦૨૦માં સિંહોની સંખ્યા ૯૭૪ જેટલી હતી અને રેમાં વધારો થવાની શક્યતા જેવા મળી જંગલની અંદર ૩૦૦થી વધુ સિંહો અને જંગલના બહારના વિસ્તારમાં ૪૦૦ જેટલા સિંહો હોવાનું વન વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું ધું છે. છે. વન વિભાગ દ્વારા તા.૧૨ના બપોરના ૨ વાગ્યાથી સિંહોની આખરી ગણતરી શરૂ કરવામાં આવશે અને તા. ૧૩ના બપોરના રસુધીમાં કામગીરીને પૂર્ણ કરાશે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates