જામજોધપુર યાર્ડની પેઢી કાચી પડી, ખેડૂતોના પૈસા સલવાતાં ફોજદારી
05-05-2025

સતાપર ગામના પાંચ ખેડૂતોને જણસ વેચાણના નાણાં ન મળ્યા
જામજોધપુરના માર્કેટિંગ યાર્ડમાં આવેલી વિઠલાણી બ્રધર્સ નામની વર્ષો જૂની પેઢી તથા તેની સાથે સંયુક્તમાં આવેલી અલગ અલગ બે પેઢી કે જેઓના સંચાલક રમેશભાઈ મથુરાદાસ વિઠલાણી અને ગોપાલભાઈ મથુરાદાસ વીઠલાણી નામના બે તા બે ભાઈઓ તેમજ રમેશભાઈના પુત્ર કિસન વિઠલાણી તાલુકાના સતાપર ગામના પાંચ ખેડૂતોની ૩૨ લાખની જણસની રકમ ચૂકવ્યા વિના પેઢીને તાળા મારીને ભાગી છુટયા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. તેઓના મકાન પણ બંધ અવસ્થામાં છે, અને સમગ્ર પરિવાર ભૂગર્ભમાં ઉતરી ગયો છે. ત્રણેય સામે ખેડૂતો દ્વારા છેતરપિંડી અંગેની પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
વેપારી પિતા, પુત્ર અને ભાઈ સહિત ત્રણ સામે પોલીસે ગુનો નોંધ્યો, સમગ્ર પરિવાર ઘર-દુકાન બંધ કરીને રફુચક્કર થયો
તાલુકાના સતાપર ગામમાં રહીને ખેતી કામ કરતા દિનેશભાઈ સુરાભાઈ પરમાર અઢી દાયકાથી ઉપરોક્ત વિઠ્ઠલાણી બંધુઓની પેઢી સાથે પોતાની અલગ અલગ જણસની વેચાણ કરી વ્યવહાર ચલાવે છે, ભરોસાને લઈને આ વખતે પણ દિનેશભાઈ પરમાર પોતાની રૂા.૫,૧૬.૭૫૦ની કિંમતનો મગફળીનો જથ્થો વેચાણ માટે વેપારીને આપ્યો હતો, જેની બાકી રોકાતી રકમ આપવા માટે અવાર નવાર જુદા જુદા બહાના આપતા હતા. આખરે પેઢીના સંચાલકો લાપતા ભની ગયા હોવાથી દિનેશભાઈ પરમાર દ્વારા ગણેય સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત તેની સાથે જસાપર ગામના પણ અન્ય ચાર ખેડૂતો કે જેઓએ પણ 27 લાખ રૂપિયાની અલગ અલગ જણસ તેમાં મગફળી કપાસ જીરું વગેરેનો સમાવેશ થાય છે
વેપારી પેઢી પર સતાપરના પૂર્વ સરપંચે નોટિસ ચિપકાવી!
પેઢી પર બાકી નીકળતા લેણાને અનુલક્ષીને સતાપર ગામના પૂર્વ સરપંચ દેવરાજભાઈ છેલાણાએ લોકોને જાણવા માટેની એક નોટિસ ચિપકાવી છે, જેમાં લખાણ લખ્યું છે, કે ઉપરોક્ત મિલકત પરાવનાર પેઢીના સંચાલક કે જેની પાસે અમારી જુદી જુદી જણસની રકમ લેવાની બાકી હોવાથી આ મિલક્ત પર અમારો કબજો છે, અને અન્ય કોઈએ પણ આ મિલકત પર હવે કબજો કરવો નહીં, જેની સર્વેએ નોંધ લેવી તે પ્રકારે નોટિસ લગાવી છે તેથી જામજોધપુરમાં કુતુહલ ફેલાયું છે.
એ તમામ વિસ્તુઓ મેળવી લીધા પછી પેઢીના સંચાલકોએ થોડા સમયમાં પૈસા આવી જશે તેમ કહયે હતું, અને પોતાની પેઢીને તાળા મારીને આખરે ભાગી છુટ્યા હતા. જુદી કલમમાં શેઠળ ગુનો નોંપ્યો છે, અને તપાસ શરૂ કરી છે. હાલતમામ આરોપીઓના મોબાઈલ ફોન સ્વીચ ઓફ થઈ ગયા છે. કોલ ડિટેઈલના આધારે તમામના લોકેશન મેળવવામાં આવી રહ્યા છે. આ પ્રકરણની તપાસ જામજોધપુરના પી.એસ.આઇ. એચ.બી. વડાવીયા ચલાવી રહ્યા છે.
જામજોધપુર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના અન્ય કોઈ ખેડૂતો આ પેઢી સાથે સંકળાયેલા હોય અને તેઓના પણ પૈસા ફસાયા હોય તો તાત્કાલિક અસરથી જામ જોધપુર પોલીસ મથકનો સંપર્ક સાધવા પોલીસ દ્વારા અનુરોધ કરાયો છે.