એક પણ વાછરડાને જન્મ આપ્યા વિના રોજ ચાર લિટર દૂધ આપતી કામધેનુ
29-04-2025

વંથલી તાલુકાના ધંધુસરમાં કુદરતનો કરિશ્મા
વંથલી તાલુકાના ધંધુસરમાં એક ખેડૂત પરિવારને ત્યાં કુદરતનો કરિશ્મા થયો છે. તેને ત્યાં ૨૦૨૧માં ગાથે એક સાથે વાછરડા અને વાછરડીને જન્મ આપ્યો હતો. વાછરડીની તપાસ કરતા તેને ગર્ભાશય જ ન હતું. આ ગાય રજસ્વલામાં આવી ન હતી. થોડા સમય પૂર્વે ગાય થોડી બીમાર પડતાં વેટરનરી તબીબ તપાસ કરી પરિવારને ગાય દોહવાનું શરૂ કરવા જણાવ્યું હતું. તે મુજબ દોહવાનું શરૂ કરતાં છેલ્લા બે ત્રણ સપ્તાહથી આ ગાય રોજ ચાર લિટર જેટલું દૂધ આપી રહી છે. શાસ્ત્રોમાં આવી ગાયને કામધેનુ કહેવામાં આવી છે.
૨૦૨૧માં શિવરાત્રિના જન્મેલી ગાયને ગર્ભાશય નથી કે નથી રજસ્વલામાં આવી, બીમાર પડતાં તબીબના કહ્યા મુજબ દોહવાનું શરૂ કર્યું તો થઈ ગઈ ઠીક
આ અંગેની વધુ વિગત મુજબ વંથલી તાલુકાના પંપુસરમાં રહેતા પૂજાભાઈ સરમણભાઈ મૂળિયાસીયાની ગાથે 2021 વર્ષમાં મહાશિવરાત્રીની રાત્રે એક વાછરડાને જન્મ આવ્યો હતો, તેની થોડી વાર બાદ વાછરડીને જન્મ આપ્યો હતો. ત્યારે વેટરનરી તબીબે વાછરતી પાછળથી આવી છે એટલે તેમાં કઈ ખોડખાંપણ હશે એમ જણાવ્યું હતું. ખેડૂત પરિવારે સ્નેહ પૂર્વક વાળા અને વાછરડીનો ઉછેર કર્યો હતો.
17.51 લાખમાં માગણી છતાં પરિવારનો ગાય આપવા ઈન્કાર
આ કામધેનુ ગાયને થોડા સમય પહેલા ૧૭.૫૧ લાખમાં માંગવામાં આવી હતી છતાં ગીર પ્રજાતિની આ ગાયને આપવા પરિવારે ના પાડી દીપી હતી. રોજ બ રોજ ગાયને જોવા અને તેને લેવા માટે લોકો આવતા રહે છે પરંતુ ખેડૂત પરિવારે તો આ ગાયને આજીવન પોતાના પરિવારની સભ્ય જ બનાવી કોઈને ન આપવાનો સંકલ્પ કરી લીધો છે.
ખેડૂત પૂંજાભાઈએ જણાવ્યું હતું કે વાછવો દોઢ બે વર્ષનો થયી ત્યારે તેને શેરનાથબાપુને મર્પણ કર્યા હતો. વાછરડી અઢી ત્રણ વર્ષની થઈ ત્યારે વેટરનરી તબીબે તપાસ કરતા તેને ગર્ભાશય ન હોવાનું જાણવા મળ્યું હતું. આ વાછરડીને માલ ગામે રહેતો તેમનો ભાણેજ લઈ ગયો હતો. થોડા સમય પહેલા એ ગાયને પંપુસર લઈ આવવામાં આવી હતી. ગાયને તા તાવ આવી જતા માલેજે કુતિયાણાના વેટરનરી તબીબને મોકલ્યા હતા, તેઓએ ગાયની તપાસ કરી આ ગાયને દોહવાનું શરૂ કરવા જણાવ્યું હતું. છેલ્લા ૧૫-૨૦ દિવસથી દોરવાનું શરૂ કર્યું છે. શરૂઆતમાં સવાર એક દોઢ લિટર આસપાસ દૂષ આપતી હતી, હાલ સવાર સાંજ બે-બે લિટર જેટલું દૂધ આપે છે. આમ આ કામધેનુ જસ્વલામાં આવતી નથી, ગભાશય ન હોવાથી પ્રસુતિ થઈ નથી છતાં રોજ કુલ ચાર લિટર દૂષ આપે છે. આ ગાયની જીભ, ચારેય આંચળ અને કાન કાળા છે. ખેડૂત પરિવાર તેને પોત પોતાનાં પરની સભ્ય જ માને છે.
વધુમાં પૂંજાભાઈએ જણાવ્યું હતું કે, આ ગાય આજીવન દૂધ આપણે તેમજ વચ્ચે વસુકી જવાનો સમય પણ આવે એવી સંભાવના પણ નથી. શાસ્ત્રોમાં આવી ગાયને કામઘેનું કહેવામાં આવી છે.
વાછરડાં સાથે જન્મ થયો છતાં કામધેનુ ગાય હોવું ભાગ્યે જ બને છે
ગાય બે વાછરડીને જન્મ આપે તેમાંથી એક ગાય પ્રજોત્પતિ વિના દૂધ આપે એ સામાન્ય બાબત છે પરંતુ વાછરડા સાથે જન્મેલી ગાયને ગભાશય ન હોય અને પ્રજોત્પતિ વિના દૂ૫ આપે એ ભાગ્યે જ બનતી ઘટના છે. આ ગાયનો પોતાને ત્યાં જન્મ થયો એ બાબતથી ખેડૂત પરિવાર પોતાને ભાગ્યશાળી માની રહ્યો છે.