કુંભ મેળા 2025 વિશે ટૂંકમાં સામાન્ય માહિતી, જાણો

15-01-2025

Top News

કુંભ મેળો તા. 14 / 01 / 2025 થી તા. 26 / 02 / 2025 સુધી ચાલવાનો છે.

સનાતન ધર્મ નાં જાતકો માટે નું અતિ મહત્વ નું પર્વ છે. આઝાદી નાં આટલા વર્ષો પછી આપણા દેશ માં આ પર્વ વિશે કોઈ પણ સરકારે કે ફિલ્મ ઉદ્યોગ માં  તેનું મહત્વ ક્યારેય બતાવેલ નથી. કુંભ નો મેળો કેમ ભરાય છે તેની પાછળ ની વાત છે. " સમુદ્ર મંથન સમયે કુલ 14 રત્નો ની પ્રાપ્તિ થઈ હતી ત્યાં સુધી આપણ ને ખબર છે. સૌથી પ્રથમ વિષ નીકળેલું આ વિષ માટે બધા દેવો એ શિવજી ને આજીજી કરેલ અને શિવજી એ આ વિશ ધારણ કરેલ છે. તેથી તેઓ નીલકંઠ કહેવાયા આ વિષ માં એટલી ગરમી હતી કે શિવજી ને ઠંડક માટે માથે ચંદ્ર ધારણ કરવો પડેલો...જેથી શીતળતા રહે ...
 
છેલ્લે 14 મું રત્ન અમૃત નીકળ્યું. દાનવો આ અમૃત માં ભાગીદાર ન થાય તે માટે દેવો આ અમૃત નાં ઘડા ને લઇ ને ભાગવા મડ્યા. આમ રસ્તા માં દોડતી વખતે ચાર જગ્યાએ વિશ્રામ વેળાએ કુંભ જમીન ઉપર રાખવા જતા ત્યાં અમૃત નાં એક એક બિંદુ પડેલ છે.. તે માટે આ ચાર જગ્યાએ સ્નાન નું મહત્વ શરૂ થયું. આ ચાર જગ્યા છે.
( 1 ) પ્રયાગરાજ
( 2 ) ઉજ્જૈન
( 3 )  હરિદ્વાર
( 4 ) નાસિક 

હવે કુંભ મેળો ક્યા સંજોગો માં ભરાય છે :- 
1.ધર્મ નો કારક ગુરુ જ્યારે વૃષભ / સિંહ / વ્રશ્ચક અને કુંભ રાશિમાં ભ્રમણ કરે છે ત્યારે કુંભ મેળો ભરાય છે.1.  સૂર્ય / ચંદ્ર /અને ગુરૂ નાં વિશિષ્ટ સંયોગ થી આ ચાર જગ્યાએ કુંભ મેળો ભરાય છે. 
2. ગુરૂ - વૃષભ રાશિ માં 
સૂર્ય :- મકર રાશિ માં 
ચંદ્ર :- કર્ક રાશિમાં...આમ ગુરૂ / સૂર્ય / ચંદ્ર નો વિશિષ્ટ સંયોગ હોય ત્યારે પ્રયાગરાજમાં કુંભ મેળો ભરાય છે..
3. સિંહ રાશિ માં ગુરૂ હોય અને સૂર્ય સિંહ રાશિ માં હોય ત્યારે નાસિક ત્રંબકેશ્વર માં કુંભ મેળો ભરાય છે. 
4. ગુરૂ વ્રશ્ચીક રાશિમાં અને સૂર્ય મેષ રાશિ માં અને ચંદ્ર તુલા રાશિમાં હોય ત્યારે ઉજ્જૈન માં કુંભ મેળો ભરાય છે
5. ગુરૂ કુંભ રાશિમાં અને સૂર્ય મેષ રાશિ માં  ત્યારે હરિદ્વાર માં કુંભ મેળો યોજાય છે..

કુંભ મેળો એક જ જગ્યાએ દર બાર વર્ષે આવે છે. દર છ વર્ષે અર્ધ કુંભ મેળો આવે છે . અને દર 14 4 માં વર્ષે મહાકુંભ મેળો આવે છે. આ વર્ષે પ્રયાગ રાજ માં મહાકુંભ મેળાનું આયોજન છે અને હવે પછી 2169 માં મહાકુંભ મેળાનું આયોજન થશે

અર્ધ કુંભ મેળો :- 
અર્ધ કુંભ મેળો દર 6 વર્ષે ભરાય છે :- 
( 1 ) ગુરૂ વ્રશ્ચીક રાશિ માં અને સૂર્ય મકર રાશિમાં હોય ત્યારે પ્રયાગ રાજ માં અર્ધકુંભ મેળા નું આયોજન કરવામાં આવે છે.
( 2 ) ગુરૂ સિંહ રાશિ અને સૂર્ય મેષ રાશિ માં હોય ત્યારે ગંગા નદી નાં તટ ઉપર હરિદ્વાર માં અર્ધ કુંભ નું આયોજન કરવામાં આવે છે..

કુંભ મેળો માં સ્નાન નું મહત્વ શું છે :-
નીચે નાં સમયે કુંભ મેળામાં સ્નાન કરવું ખુબજ મહત્વ નું હોય છે. 
1. સોમવતી અમાસ .. હોય 
2. સૂર્ય ગ્રહણ હોય ...
3. ચંદ્ર ગ્રહણ હોય ...
4. પૂનમ હોય ...
5. અગિયાર હોય તે દિવસે ..
6. ગુરૂ સાથે સૂર્ય એક જ રાશિ માં આવે તે મહિના માં સ્નાન નું મહત્વ છે.

સૌ પ્રથમ તપસ્વી સાધુ સંતો અને નાગા સાધુઓ આ મેળા માં શાહી સ્નાન કરે છે. ત્યાર પછી આમ જનતા અહીંયા સ્નાન કરે છે જેથી સાધુ સંતો તપસ્વી ઓનાં તપ નું ફળ આમ જનતા ને પણ મળે તેવી માન્યતા છે.
 
પ્રયાગરાજમાં દર બાર વર્ષે કુંભ નું આયોજન કરવામાં આવે છે.( જાન્યુઆરી કે ફેબ્રુઆરી માસ માં કરવામાં આવે છે
વૃષભ રાશિ માં ગુરૂ તા. 01 / 05 / 2024 થી તા. 14 / 05 / 2025 સુધી ચાલશે..
સૂર્ય મેષ રાશિ માં તા 14 / 01 / 2025 નાં રોજ સવારે 08.56 થી તા. 12  / 02 / 2025 સુધી રાત્રે 21.56 કલાક સુધી રહેશે...

પૂર્ણ કુંભ મેળાનું મહાપર્વ પ્રયાગ રાજ માં શાહી સ્નાન ની તારીખો :- 
1 વિક્રમ સવંત 2081 પોષ સુદ પૂનમ ને મંગળવાર તા. 14 / 01 / 2025  નાં રોજ મકર સંક્રાંતિ  સ્નાન ...
2. બીજું શાહી સ્નાન :- પોષ વદ અમાસ , મૌની અમાવસ્યા , તા. 29 / 01 / 2025  ને બુધવાર નાં રોજ 
3. ત્રીજું શાહી સ્નાન :- માઘ સુદ 5 ને વસંત પંચમી તા.02 / 02 / 2025 નાં રોજ 
 
 સ્નાન પર્વ :- 
1. માઘ સુદ અગિયારસ તા. 08 / 02 / 2025 નાં શનિવાર નાં રોજ 
2. માઘ સુદ પૂનમ તા.12 / 02 / 2025 નાં બુધવાર નાં રોજ 
3. માઘ વદ ચૌદશ, મહાશિવરાત્રી પર્વ તા. 26 / 02 / 2025 ને બુધવાર
GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates