પ્રોજેક્ટ ટાઈગર અને પ્રોજેક્ટ લાયન વચ્ચે ખૂટતી કડીઓ, જાણો
03-03-2025

સિંહો માટે મહત્વનો પ્રોજેક્ટ તો અમલમાં આવશે પરંતુ તેમાં એનટીસીએની જેમ કેન્દ્રની મોનિટરિંગ કમિટી વગર બધું અધૂરું
પ્રોજેક્ટ ટાઈગરની જેમ હવે પ્રોજેક્ટ લાયન અમલમાં આવવાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે વન્યજીવ તજજ્ઞો એ બાબત પર ભાર મુકી રહ્યા છે કે પ્રોજેક્ટ ટાઈગરમાં વાઘની જેવી રીતે તકેદારી લેવામાં આવે છે તેવી વ્યવસ્થા પ્રોજેક્ટ લાયનમાં પણ, ગોઠવવી જરૂરી હોવા છતાં ખરેખર તેમ થશે કે કેમ એ બાબત જ શંકાસ્પદ જણાય છે. પ્રોજેક્ટ ટાઈગરનું સંપૂર્ણ મેનેજમેન્ટ એનટીસીએ દ્વારા કરવામાં આવે છે તેવી જ રીતે પ્રોજેક્ટ લાયનમાં કેન્દ્રની કમિટી બનાવી તેના પર એનટીસીએની જેમ બારીકાઈથી દેખરેખ રાખવામાં આવે તો જ ખરા અર્થમાં પ્રોજેક્ટ લાયનથી સિંહોને ફાયદો થાય તેમ છે.
પ્રોજેક્ટ ટાઈગરની સારી અમલવારીના કારણે વાઘનો મૃત્યુ દર સિંહ કરતા ખૂબ ઓછો હોવાનું પણ રેકર્ડ પર નોંધાયેલું છે. જ્યારે વાઘ નામશેષ થવાના આરે હતા. ત્યારે તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી દ્વારા વર્ષ ૧૯૭૩માં વાઘ ખૂબ મહત્વનો કહી શકાય તેવો પ્રોજેક્ટ ટાઈગર અમલમાં લાવવામાં આવ્યો હતો. જેના કારણે આજે દેશના ૧૮ રાજ્યમાં વાઘ વિહાર કરી રહ્યા છે. વાઘ માટે ધીમે-ધીમે કરીને અત્યાર સુધીમાં ૫૭ ટાઈગર રિઝર્વ જાહેર કરવામાં આવ્યા છે.
ટાઈગર, રિઝવમાં એનટીસીએના સુપરવિઝન હેઠળ ખૂબ મહત્વની કામગીરી થાય છે. જેમાં એમસ્ટ્રાઈપ પેટ્રોલિંગ પધ્ધતિ દ્વારા ટાઈગર રિઝર્વમાં મોનિટરીંગ કરવામાં આવે છે, જે તે વિસ્તારના બિટગાર્ડ તથા ફોરેસ્ટર દ્વારા જીપીએસ સાથે રસ્તા સિવાયના અંતરીયાળ સહિતના ભાગમાં ચાલીને પેટ્રોલિંગ કરવામાં આવે છે. તેનો તમામ ડેટા દર મહિને ડીસીએફ કચેરીમાં આપવામાં આવે છે. તેના પરથી સાબિત થાય છે કે, ક્યા વિસ્તારમાં કેટલું પેટ્રોલિંગ થયું છે. આવા પેટ્રોલિંગ દરમ્યાન વન્યપ્રાણી જોવા મળે તો તેનો ડેટા, તેના પગના નિશાન, તેના મળના ડેટા, અવાજ સહિતની વિગત ની નોંધ કરવામાં આવે છે. આ પધ્ધતિ ટાઈગર રિઝર્વમાં વર્ષ ૨૦૧૦થી અમલમાં છે, જ્યારે ગીરમાં આવી રીતે કોઈ કામગીરી કરવામાં આવતી નથી.
ટાઈગર રિઝર્વ માટે જે કંઈ ગ્રાન્ટ આવે તેનું અગાઉથી જ એનટીસીએની દેખરેખ હેઠળ આયોજન થાય ત્યારબાદ તેની સ્થળ પર કામગીરી થાય, કામગીરી દરમ્યાન એનટીસીએ દ્વારા તેનું સુપરવિઝન કરવામાં આવે આ ઉપરાંત મેનેજમેન્ટ ઈફેક્ટીવનેસ ઈવેલ્યુએશન (એમઈઈ) દ્વારા સમયાંતરે દરેક ટાઈગર રિઝર્વમાં એક-એક બાબતનું મોનિટરીંગ કરી તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવે અને તે રિપોર્ટના આધારે તેમાં સંરક્ષણ અંગે શું શું ખુટે છે તે જાહેર કરવામાં આવે છે. આ કમિટી દ્વારા હેબીટેટ મેનેજમેન્ટ સહિતની વ્યવસ્થાઓ પર ખાસ નજર રાખવામાં આવે છે. હેબીટેટ મેનેજમેન્ટમાં તૃણભક્ષી હરણ, નીલગાય સહિતનાઓને જરૂરિયાત મુજબનો ખોરાક, પાણી, વિસ્તાર મળે છે કે કેમ? | તેનું પણ વૈજ્ઞાનિક ઢબે નિરીક્ષણ થાય છે. આવી જ રીતે પ્રોજેક્ટ લાયનમાં કેન્દ્ર સરકારના સુપરવિઝનવાળી મોનિટરીંગ કમિટી બનાવવી જરૂરી છે. જેમાં પ્રોજેક્ટ ટાઈગરમાં કેવી-કેવી રીતે સંરક્ષણ, સંવર્ધન સહિતની કામગીરી થાય છે તેનો અભ્યાસ કરી પ્રોજેક્ટ લાયનમાં અમલવારી કરવી જોઈએ તેવી સિંહપ્રેમીઓની માંગણી છે.
રિવાઈલ્ડ ફેસેલિટીથી અનેક સિંહને જેલને બદલે જંગલ મળી શકે છે. વાઘણનાં અનાથ બચ્ચાંને તાલીમ, સિંહણ મરે તો બચ્ચાં ઝૂમાં કેદ
જવારે ગીરમાં બચ્ચાંવાળી સિંહણનું મોત થાય ત્યારે તેના બચ્ચાંને અનાથ સમજી તેને કાથમી માટે ઝૂમાં રાખી દેવામાં આવે છે. જ્યારે તેની સરખામણીએ ટાઈગર રિઝર્વમાં જ્યારે મચ્ચાવાળી વાયકાનું મોત થાય તો તેના બચ્ચાને રિવાઈટા ફેસેલિટીમાં રાખવામાં આવે છે. રિવાઈલ્ડ ફેસેલિટી ટાઈગર રિઝર્વમાં ફેન્સિંગવાળો વિસ્તાર હોય છે. જ્યાં બચ્ચાની ઉંમર પ્રમાણે જીવીત પશુઓ આપી તેને શિકાર કરવાની અને જંગલમાં ટકી રહેવાની ટ્રેનિંગ આપવામાં આવે છે. જેમ જેમ બચ્ચા મોટા થતા જાય તેમ તેના અલગ-અલગ રિવાઈલ્ડ સેન્ટરમાં રાખવામાં આવે છે. નાના હોય ત્યારે મુરથી અને થોડા મોટા થાય ત્યારે હરણ, ચિતલનો રિવાઈલ્ડ સેન્ટરમાં શિકાર કરતા તૈયાર કરી ફરી તેને જંગલમાં છોડવામાં આવે છે. આવી વ્યવસ્થા ગીરમાં પણ જરૂરી છે કેમ કે, કેટલાય સિંહના અનાથ બચ્ચાઓ પાંજરામાં જીવન ગુજારી રહ્યા છે.
ગુજરાતમાં દીપડાની ગણતરી જે પધ્ધતિથી કરવામાં આવી તે પધ્ધતિ વર્ષ ૨૦૦૮થી ટાઈગર રિઝર્વમાં બંધ થઈ ગઈ છે. ગુજરાતમાં દીપડાની ગણતરી વર્ષ ૨૦૨૩ના મે મહિનામાં કરવામાં આવી હતી ત્યારે પગલાંથી દીપડાને ગણવામાં આવ્યા હતા. જ્યારે ટાઈગર રિઝર્વમાં વાઘને કેમેરા ટ્રેપથી ગણવામાં આવે છે. કેમેરા ટ્રેપની અંદર સોફ્ટવેર હોય છે જેના કારણે એકને એક વાઘ બીજીવાર આવી ન જાય તેનું ધ્યાન રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યારે અન્ય રાજ્યમાં બંધ થયેલી પધ્ધતિથી હજુ ગુજરાતમાં દીપડાઓની ગણતરી થાય છે. આવી સ્થિતિના કારણે દીપડાઓના આંકડાઓમાં મોટો તફાવત આવે છે. ગુજરાતમાં તો દીપડાઓની વસતી ગણતરી પણ બંધ થઈ ગયેલી પધ્ધતિથી કરાય છે.