લીછમ્મ વેલી! બે વર્ષમાં 7.54 લાખ વૃક્ષોનું વાવેતર
12 દિવસ પહેલા

અમરેલી જિલ્લામાં ગ્રીનકવર વધારવાની નેમ
યુનાઈટેડ નેશન્સ દ્વારા તા.૫ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવે છે. લોકોને પર્યાવરણ પ્રતિ જાગૃત બનાવવા અને પૃથ્વીને તમામ પ્રકારનાં પ્રદૂષણોથી મુક્ત કરવાના હેતુ સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ હેતુને ચરિતાર્થ કરવાની દિશામાં આગળ વધીને અમરેલી જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગે બે વર્ષમાં ૭,૫૪,૩૯૫ વૃક્ષોનું વાવેતર કર્યું છે.
૧૨ હેક્ટર વિસ્તારમાં વનં કવચનું નિર્માણ થશેઃ ૧.૧૨ લાખ રોપાઓનાં વાવેતરનું લક્ષ્ય
અમરેલી જિલ્લામાં વૃક્ષોનું રિસ્ટોરેશન અભિયાન ચાલુ છે. જિલ્લામાં ગીર જંગલ વિસ્તારનો પૂર્વ ભાગ છે. ગુજરાત ફોરેસ્ટ સ્ટેટિસ્ટિક વર્ષ ૨૦૨૩-૨૪ ના આંકડા મુજબ જિલ્લાનો વન વિસ્તાર અંદાજે ૩૩૯.૮૯ ચો.કિ.મી. થયો છે. સામાજિક વનીકરણ વિભાગ દ્વારા અમરેલી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં વ્યાપક પ્રમાણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૩-૨૪માં ૩,૩૨,૭૭૭ અને વર્ષ ૨૦૨૪-૨૫માં ૪,૨૧,૫૮૮ સહિત ૭,૫૪,૩૯૫ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જિલ્લાનું ગ્રીનકવર સતત વધી શકેતે નેમ રાખવામાં આવી હોવાનો દાવો કરાયો છે.
જિલ્લામાં ચાલુ વર્ષે ગ્રામ્ય અને શહેરી ક્ષેત્રના ૧૨ હેકટર વિસ્તારમાં વન કવચનું નિર્માણ કરવામાં આવશે જેમાં ૧,૧૨,૦૦૦ રોપાઓનું વાવેતર કરવાનું લક્ષ્યાંક છે.