ખેડૂતો અને કેન્દ્ર વચ્ચેની બેઠક અનિર્ણિત 22 ફેબ્રુઆરીએ આગામી બેઠક યોજાશે
15-02-2025

આગામી બેઠક દિલ્હી અથવા ચંડીગઢમાં યોજાશે
છેલ્લા એક વર્ષથી આંદોલન કરી રહેલા ખેડૂતોએ શુક્રવારે કેન્દ્રના પ્રતિનિધિ સાથે બેઠક કરી હતી .ચંડીગઢમાં એ બેઠક થઇ હતી. અને ૨૨ ફેબ્રુઆરીએ આગામી બેઠક યોજવામાં આવશે.
આગામી બેઠકમાં કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજ ચૌહાણ અને ગૃહપ્રધાન હાજર રહેશેઃ જગજીતસિંહડલ્લેવાલ
કેન્દ્રીય પ્રયાન પ્રહલાદ જોશીના નેતૃત્ત્વમાં એક કેન્દ્રીય 1 ટીમ અને ખેડૂત નેતાઓની વચ્ચે એમએસપી સહિત અનેક બુધઓવર ચર્ચા કરવામાં આવી આવી હતી. જો સાપવામાં આવી ન હતી. સંમતિ સાધવામાં આવી ન હતી.
ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલે બેઠક પછી જણાવ્યું હતું કે અમે વધુ એક બેઠક કરીશું. આ બેઠકમાં કૃષિ પ્રધાન શિવરાજ ચૌહાણ અને ગૃહ પ્રધાન હાજર રહેશે. આ 1 બેઠક ચંડીગઢ અથવા દિલ્હીમાં યોજવામાં આવશે. જગજીત સિંહ ડલેવાલે જણાવ્યું હતું કે બેઠક દિલ્હીમાં થશે અથવા ચંડીગઢમાં થશે તે અંગેની માહિતી એક કે બે દિવસમાં આપી દેવામાં આવશે. આ બેઠકમાં કૃષિ પ્રયાન શિવરાજ સિંહ ચૌહાણ અને અન્ય બે કેન્દ્રીય પ્રષાનો પણ હાજર રહેશે. કેન્દ્રીય પ્રયાન પ્રહલાદ જોશીએ ખેડૂતોની સાથે બેઠક પછી જણાવ્યું હતું કે આજે તમામ મુદ્દાઓ પર વાતચીત થઈ છે.
અમે શાંતિપૂર્ણ રીતે ખેડૂતોની માંગ સાંભળી છે. ૨૨ ફેબ્રુઆરીએ શિવરાજ ચૌહાણના નેતૃત્ત્વમાં આગામી બેઠક થરશે. ખેડૂત નેતા અભિમન્યુ કોહાડે બેઠક પછી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ૨૮ ખેડૂત નેતાઓ કેન્દ્રીય પ્રધાનને મળ્યા હતા. અમે દસ્તાવેજોની સાથે તથ્યો રજૂ કર્યા છે. મંત્રીઓ અને અધિકારીઓએ અમને કોઈ જવાબ આપ્યો નથી. ડલેવાલે જણાવ્યું હતું કે હું મારા ઉપવાસ ત્યાં સુધી ચાલુ રાખીશ જ્યાં સુધી એમએસપી ગેરેંટી કાયદો પસાર થઈ જતો નથી.