જામનગર જિલ્લામાં 2.56 લાખથી વધુ પશુઓનું રસીકરણ કરાશે
18-03-2025

પશુપાલન વિભાગ દ્વારા તા.30 એપ્રિલ સુધીમાં
જામનગર જિલ્લામાં ગાય અને ભેંસ વર્ગના મોટા પશુઓમાં ખરવા-મોવાસા રોગ સામે રક્ષણ આપવા માટે શરૂ થયેલ રસીકરણ ઝુંબેશનો પ્રારંભ થયો છે. જેમાં જામનગર જિલ્લાના દરેક ગામમાં ઘરે-ઘરે જઈને પશુપાલન વિભાગના કર્મચારીઓ દ્વારા ૨,૫૯,૩૦૦ જેટલા પશુઓમાં રસીકરણ કરવામાં આવશે.
પશુઓમાં ખરવા-મોવાસા રોગ અટકાવવા રસીકરણ કાર્યક્રમ અન્વયે છઠ્ઠા રાઉન્ડનો પ્રારંભ
ખરવા-મોવાસાએ પશુઓમાં જોવા મળતો અત્યંત ચેપી અને નુકસાનકારક રોગ છે. જે દૂધ ઉત્પાદનમાં ઘટાડો, વજનમાં ઘટાડો અને ગંભીર કિસ્સાઓમાં પશુઓના મૃત્યુનું કારણ બની શકે છે. આ રોગને અટકાવવા માટે રસીકરણ એ સૌથી અસરકારક ઉપાય છે. રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ ખરવા-મોવાસા રોગના અટકાવ હેતુ પશુપાલન ખાતા દ્વારા ગાય અને ભેંસ વર્ગના મોટા પશુઓમાં વર્ષમાં બે વખત વિનામૂલ્યે રસીકરણ કરવામાં આવે છે.
જામનગર જિલ્લામાં પશુઓમાં ખરવા-મોવાસાના રોગ સામે રક્ષણ આપવા માટે પશુપાલન શાખાની ટીમ દ્વારા વિનામૂલ્યે રસીકરણ અભિયાનના છઠ્ઠા રાઉન્ડનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં તા. ૩૦મી એપ્રિલ સુધીમાં જામનગર જિલ્લાના દરેક ગામમાં ઘરે-ઘરે જઈને પશુપાલન વિભાગના કર્મચારીઓ દ્વારા ૨,૫૯,૩૦૦ જેટલા પશુઓમાં | રસીકરણ કરવામાં આવશે.