મોરબીમાં સડેલાં સરકારી અનાજનો જથ્થો સળગાવીને નાશ કરવા રહસ્યમય ષડયંત્ર!

16-04-2025

Top News

યમુનાનગર નજીક સ્મશાનમાં ફાયર બ્રિગેડ પહોંચતા ભાંડો ફૂટયો

મોરબીના યમુનાનગર નજીક આવેલા અનુ.જાતિ-સમાજના સ્મશાનમાં આજે આગ લાગી હતી. જેથી ફાયર| બ્રિગેડની ટીમ દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી | આગ પર કાબુ મેળવવા કામગીરી શરુ કરી હતી. જો કે, ખુલ્લા મેદાનમાં જેમાં આગ લાગી હતી, તે સ્થળે સરકારી અનાજ ઘઉં, ચોખા, તુવેર દાળ અને ચણાનો સડેલો જથ્થો હતો. જેથી રહસ્યમય આગજનીની ઘટનાની જાણ કરાતા પુરવઠા વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરુ કરી હતી.

અઠવાડિયાથી સ્મશાનની સાફ-સફાઈ ચાલતી હોવાથી તાળું મારતા નહીં, જેનો ગેરલાભ લઈને સરકારી ઘઉં, ચોખા, તુવેર દાળ, ચણાંનો જથ્થો ફેંકી જતાં ચકચાર

બનાવ મામલે પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં યમુનાનગર નજીક અમરેલી રોડ પર આવેલા અનુ.જાતિ-સમાજના સ્મશાનમાં આજે સવારે આગ લાગી હતી. સ્મશાનનાં ગ્રાઉન્ડમાં આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી. આગ લાગી તે સ્થળેથી સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો. આગ કચરાના ઢગલામાં લાગી હતી અને આગ પર આંશિક કાબુ મેળવતા સરકારી અનાજનો જથ્થો હોવાનું સામે આવ્યું હતું. જેથી સરકારી અનાજનો સડેલો જથ્થો બાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની શંકા બળવતર બનતા પુરવાઠા વિભાગને જાણ કરવામાં આવી હતી.

તુવેર દાળ અને ચણાનો જથ્થો વર્ષ ૨૦૧૮-૧૯નો નીકળ્યો

આ અંગે દલિત સમાજના સ્મશાન ખાતે સેવાઆપતાસુખાભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, અહીં સ્મશાન ચોખ્ખું કરીને આઠ દિવસથી ટ્રેક્ટરથી ભરતી નાખવામાં આવી રહી છે. જેથી તાળું લગાવતા નથી. ગત રાત્રીના કોઈ અજાણ્યો ઇસમ સરકારી અનાજનો જથ્થો નાખી ગયા હોઈ શકે છે. સવારે આગ લાગી હોવાની જાણ થતાં અહીં આવતા સરકારી અનાજનો સડેલો જથ્થો મળી આવ્યો હતો. જે કોણ નાખી ગયું? તે અંગે કોઈ માહિતી નથી.

મોરબી પુરવઠા વિભાગના જિલ્લા નાયબ મેનેજર દેવેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું કે, આજે આગની ઘટના બની જ્યાંથી ઘઉં, ચોખા, તુવેર દાળ અને ચણાનો જથ્થો મળ્યો હોવાની માહિતી મળતા ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. જેમાં ઘઉં અને ચોખાનો જથ્થો તપાસ બાદ સરકારી છે કે નહિ તે નક્કી થશે. તુવેર દાળ અને ચણાનો જથ્થો વર્ષ ૨૦૧૮-૧૯નો મધ્યાહ્ન ભોજન યોજના અને આઈસીડીએસ વિભાગનો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates