ઉપલેટા પંથકમાં તુવેરનો પાક ખેતરોમાં ઊભો છે ત્યારે વેંચી જવા નાફેડનું દબાણ
06-03-2025

ભારે વરસાદની સ્થિતિમાં મોડું વાવેતર થતાં
ઉપલેટા પંથકમાં અનેક ખેડૂતોએ વેચવા રજિસ્ટ્રેશન કરાવ્યું છે. હાલ તુવેરનો પાક વાડી ખેતરોમાં ઉભો છે અને લણણીને દર દિવસની વાર હોવા છતાં નોંધાયેલા ખેડૂતોને તુવેર કેન્દ્રમાં વેચી જવાના કોન આવવા લાગતા ખેડૂતો મુંઝાયા છે.
કિસાન સભાએ તુવેરની ખરીદી ૧૫ દિવસ સ્થગિત રાખી ૧૫ એપ્રિલ સુધી ખરીદ કેન્દ્ર ચાલુ રાખવા માગ કરી
ઉપલેટા પંથકમાં ૫૮૦૦ ખેડૂતોએ ટેકાના ભાવે તુવેર વેચવા માટે નાફેડમાં નોંધણી કરાવી છે. આ સાલ તુવેરનો પાક મોડો પડયો છે. મોટા ભાગનો પાક ખેડૂતોના વાડી ખેતરોમાં જ હજુ લહેરાય છે તયાં નોંધણી કરાયેલા ખેડૂતોને પાક વેચી જવા દભાણ કરતા ફોન આવવા ચાલુ થયા છે. જ નહીં વેચો તો રજિસ્ટ્રેશન કેન્સલ થઈ જશે એવી ધમકીઓ અપાય છે. આ પંથકમાં વરસાદ ખૂબ થવાથી તુવેરનું વાવેતર ખેડૂતોએ મોડું કર્યું છે. આથી ઉત્પાદન સિઝનનું સાતત્ય ખોરવાઈ ગયું છે. સિઝન મોડી પડવાની નોબત આવી છે.
આ બાબતે ગુજરાત કિસાન સભાના પ્રમુખ ડાયાભાઈ ગજેરા સહિતના આગેવાનો ખરીદી કેન્દ્ર પર ગયા હતા અને ખેડૂતોની સમસ્યા સમજાવી હતી. તેમજ તુવેરની ખરીદી ૧૫મી એપ્રિલ સુધી લંબાવી દેવાની માગણી કરી છે. આ ઉપરાંત કેન્દ્રમાં તુવેર ખરીદી ૧૫ દિવ્સ સુધી સ્થગિત રાખી ખેડૂતોને સમય આપવા રજૂઆત કરી છે. આ સમયગાળામાં ખેડૂતોએ વેચાણ કરી જવાનો રિકોલ ફોન ન કરવા અનુરોધ કરાયો છે. આ બાબતે આગેવાનોએ પારાસભ્ય કૃષિમંત્રીને રજુઆત કરી રીકોલ સમયગાળો ૧૫ દિવસનો રાખવા પણ માગણી કરી છે.