દક્ષિણ ગુજરાતમાં ધમધમતા નીરા કેન્દ્રો: તાડ-ખજૂરીમાંથી નીકળતા આરોગ્યવર્ધક નીરોની શિયાળામાં ડિમાન્ડ
04-02-2025

ઉમરગામથી ભરૂચ અને વડોદરા ખાતે દરરોજ ૧૦૦૦થી ૧૫૦૦ લીટર નીરો મોકલવામાં આવે છે
હાલમાં શિયાળાના ઠંડા વાતાવરણમાં દક્ષિણ ગુજરાતના અનેક નીરા કેન્દ્રો નીરોની ડિમાન્ડ ન્ડ લઈ ધમધમી રહ્યા છે. ખજૂરી કે તાડમાંથી મીઠો મધુર અને આરોગ્ય વધારનારો નીરો પીવા માટે આપણે સમયસર કેન્દ્રો ઉપર નહી પહોંચીએ તો મળી શક્તો નથી. નીરો પીવો નિરોગી રહો. આમ હાલમાં તો નીરાની માંગ વધતી જોવા મળે છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના દેદવાસણ ગામમાં મળતો કુદરતી વાતાવરણનો મીઠુડી ધરતીના મીઠા મધુર નીરાની બોલબાલા વધી છે.
નીરો પીણા વિશે કેટલી રસપ્રદ માહિતી જાણવા જેવી છે. સંસ્કૃત શબ્દ નીર પરથી નીરો શબ્દ આલેખાયો છે. ઘણા લોકોને હાજી ખબર ન પણ હોય શકે આપણા દક્ષિવા ગુજરાતમાં તાડ અને મજૂરીમાંથી નીરો મળે છે. તેમ કેરાલામાં નાળિયેરમાંથી નીરો યોગ્ય છેદનથી કાઢવામાં આવે છે. ખજુરી જેનું વૈજ્ઞાનિક નામ Datepalm છે. જેના વૃક્ષના ટોચે થડમાંથી ઘા કરીને ત્યાં હાંડી બાંધી દેતા તેમાં રાતભર ટપકી-ટપકીને જમા થાય ૨ છે. આ પ્રવાહીને સૂર્યોદય પહેલા તાજેતાજું પીવાય તો તેને નીરો કહેવાય. નીરો સુરતથી લઈને ઉમરગામ સુધી મળે છે. નવસારીમાં પણ । તેની માંગમાં ઉત્તરોત્તર વધારો જોવા મળે છે.
ગાંધીજીની પ્રેરણાથી નીરા ઉદ્યોગને ગ્રામ ઉદ્યોગ સાથે જોડવામાં આવ્યો અને ખાદી ગ્રામ ઉદ્યોગની રચના થઈ હતી
નીરો એ માદક પીણું હોવાની વાત આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સુધી પહોંચી હતી ત્યારે ગાંધીજીએ તમામ ખજૂરી અને તાડના વૃક્ષને કપાવી નાંખવાનો આદેશ કર્યો હતો. જેથી મોટા ભાગના વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું હતું. પણ પાછળથી ગાંધીજીને પોતાની ભૂલ સમજતા અને નીરોના ઔષધીય ગુણો સમજતા ફરીવાર વૃક્ષોને વાવવાની હાકલ કરવામાં આવી હતી. ત્યારથી આજ દિન સુધી નીરા ઉદ્યોગની ઉત્તરોત્તર પ્રગતિ થતી સહી છે. ગાંધીજીની પ્રેરણાથી આ ઉદ્યોગને ગ્રામ ઉદ્યોગ સાથે સાંકળવામાં આવ્યો હતો અને ખાદી ગ્રામ ઉદ્યોગની રચના થઈ હતી. જેમાં નીરાના વેચાશને છૂટ મળી હતી.
મહુવાનું દેદવાસણ ગામ તાડ, ખજૂરી માટે જાણીતું છે, અહીંના કુદરતી વાતાવરણ વચ્ચે લોકો શુટિંગ કરવા આવે છે
ગુજરાત નીરા ફેડરેશન પ્રમુખ ગિરીશભાઈ દેસાઇએ જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં અનેક નીરા કેન્દ્રો આવેલા છે. જેમાં સુરત, નવસારી, મહુવાના દેદવાસણ, બીલીમોરામાં અંભેટા, આલીપોર ખાતે નીરોનું ઉત્પાદન થાય છે. વલસાડમાં નીરા મંડળી છે. મગોદમાં ફાર્મ જે પોતાનું ઉત્પાદન કરે છે. ઉમરગામ (વલસાડ) તાલુકામાં સંજાણ, મરોલી, કણસા, કલવાડા, સરઈ, માણેકપોરમાં નીરોનું ઉત્પાદન થાય છે. ઉમરગામથી ભરૂચ, વડોદરા નગરે ડેઈલી ૧૦૦૦થી ૧૫૦૦ લીટર નીરો પોતાના બીકલોથી મોકલવામાં આવે છે.
પશ્ચિમ બંગાળથી કુશળ કારીગરોને નીરા ઉત્પાદન માટે લાવવામાં આવે છે, નવી પેઢીને આ વ્યવસાયમાં રસ ન હોવાથી નીરા ઉદ્યોગના માથે મોટું સંકટ
દક્ષિણ ગુજરાતમાં તાડ, ખજૂરના વૃક્ષો લઈ પશ્ચિમ બંગાળથી કુશળ કારીગરો નીરા ઉત્પાદન માટે લાવવામાં વામાં આવે છે. તેનું કારણ પણ એ છે કે, હવેની નવી પેઢી આ વ્યવસાયમાં જોડાવવા માંગતી નથી. જેના કારણે આ ઉદ્યોગ માટે મોટું સંકટ ઉભું થયું છે. હાલમાં આ ઉદ્યોગ સાથે સંકળાયેભાઓને વિમા કવચ સાથે જોડવામાં આવ્યા છે. મહુવા તાલુકાનું દેદવાસણ ગામ તાડ, ખજૂરી માટે જાણીતું છે. અહીંના કુદરતી વાતાવરણ વચ્ચે લોકો શુટિંગ કરવા જરૂરથી આવી પડે છે. દેદવાસણ નીરા કેન્દ્રના સંચાલક શજીનુભાઈ પટેલે જણાવ્યું કે, અત્રે નીરો પીવા માટે ડોક્ટરની જેમ નામ નોંધાવવું પડે છે. અહીં કુદરતી વાતાવરણ અને મીઠુડી ધરતીનો મીઠો મધુર નીરો પીવા છેક વાંસદા, અનાવલે, નવસારી, સુરત, કામરેજ, બારડોલી તો લોકો પરિવાર પણ આવે છે.
આહાર શાસ્ત્રી કિન્નરી જણાવે છે કે, નીરો એ કુદરતી જળ છે. જેને આખું વર્ષ પી શકાય છે. નીરો પીવાથી ઘણા બધા ફાયદા થાય છે. નીરો બ્લડ શુગર, પ્રેશર, ચામડી, આંખો અને કિડની લીવરને લગતા રોગો સામે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.