ખેડૂતોને રૂ.5 લાખ પાકધિરાણ આપવા પરિપત્ર જ કરાયો નથી

31-03-2025

Top News

કેન્દ્ર સરકારે ખેડૂતોને કોણીએ ગોળ ચોંટાડ્યો

બજેટસત્રમાં કેન્દ્ર સરકારે મોટાઉપાડે જાહેરાત કરી હતીકે, ખેડૂતોને રૂા.૫ લાખની મર્યાદામાં પાકધિરાણ મળશે. રૂા. ૩ લાખથી વધારીને પાકધિરાણ રૂા. ૫ લાખ આપવા નિર્ણય તો કરાયો પણ તેનો અમલ કરવા સરકારે કોઈ પરિપત્ર જ કર્યો નથી.આમ, ખેડૂતોને કેન્દ્ર સરકારે કોણીએ ગોળ ચોટાડ્યો છે.

બેકોએ સહકારી મંડળીઓને સૂચના આપી, હાલ ખેડૂતોને રૂા. ૩ લાખની મર્યાદામાં જ ધિરાણ આપવું

ખેડૂતોની આવક બમણી થાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે કૃષિલક્ષી લાભઆપવાનું નક્કી કર્યુ છે. આ તરફ, ખેડૂતોની આવકમાં વધારો થાય તેમ લાગતુ નથી કેમકે, પાકના પોષણક્ષમ ભાવો જ મળતાં નથી. મોઘુ ખાતર, બિયારણ અને જંતુનાશક જ દવા જ નહીં, ખેતમજૂરી પણ પોષાય તેમ નથી. આ સંજોગોમાં ખેતી મોઘી બની છે. ઘણા ખેડૂતો ખેતીલાયક જમીન વેચી અન્ય વ્યવસાય કરવા મજબૂર બન્યાં છે. બજેટ વખતે કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતીકે, ખેડૂતોને પાંચ લાખની મર્યાદામાં પાકધિરાણ મળશે.

જોકે, હજુ સુધી આ મામલે કોઈ પરિપત્ર કરાયો નથી. આ કારણોસર કો. ઓપરેટીવ બેંકોએ સહકારી મંડળીઓને લેખિત સૂચના આપી છેકે, ખેડૂતોને રૂા.૩ લાખની મર્યાદામાં પાકધિરાણ આપવું. જ્યાં સુધી પરિપત્ર જાહેર ન થાય ત્યાં સુધી રૂા.૩ લાખ સુધી જ ધિરાણ આપવું. ખેડૂતોનું કહેવુ છેકે, પાકધિરાણ આપતી વખતે જે ખેડૂતોને પાસેથી સાત ટકા વ્યાજ વસૂલવામાં આવે છે. કેન્દ્ર સરકાર તો વ્યાજમાફી પરત કરી દે છે પણ ગુજરાત | સરકારે દોઢ વર્ષ પછી પણ ખેડૂતોને વ્યાજ માફી આપતી નથી. ખેડૂતોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. આમ, પાકધિરાણ મુદે ખેડૂતોને છેતરાયાં હોવાનો અહેસાસ થઈ રહ્યો છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates