પૂર્વ મંત્રી રમણ વોરાના ખેડૂતનું પ્રમાણપત્રની ખરાઈ કરવા આદેશ

06-04-2025

Top News

ખોટા દસ્તાવેજ આધારે રમણ વોરાએ ખેડૂત ખાતેદાર બન્યાં

ખોટા દસ્તાવેજ આધારે ખેડૂત ખાતેદાર બનવાના મુદ્દે પૂર્વ મંત્રી અને ઈડરના ધારાસભ્ય રમલ વિવાદમાં છે. વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણ વોરાએ ખોટા દસ્તાવેજ રજૂ કરીને ગાંધીનગર જિલ્લામાં પાલેજ ખાતે ખેતીલાયક જમીન ખરીદી હતી. આ મુદ્દો છેક દિલ્હી દરબાર સુધી પહોંચ્યો છે. પૂર્વ ધારાસભ્ય પૂનમભાઇ મકવાણાએ ફરિયાદ કરતાં મહેસૂલ આદેશ ને પગલે રમણ વોરના ખેડૂત ખાતેદારના પ્રમાણપત્રની ખરાઇ કરવા આદેશ છૂટયો છે. આ જોતાં આગામી દિવસોમાં રમણ વોરાની મુશ્કેલી વધી શકે તેમ છે.

પૂર્વ ધારાસભ્ય પૂનમભાઈ મકવાણાની ફરિયાદના આધારે ગાંધીનગર કલેક્ટરે આદેશ કરતાં તપાસનો ધમધમાટ શરૂ

ગાંધીનગર જીલ્લાના રૂા.૩ કરોડમાં જમીન વેચી બીનખેતી કરી દેવાઈ, રમણ વોરાના પુજોએ દસાડાના ડાના પૂર્વ ધારાસભ્ય પૂનમભાઈ મકવાણાએ મુખ્યમંત્રી ઉપરાંત મહેસૂલ સચિવને પત્ર લખીને ફરિયાદ કરી હતીકે, ઈડરના ધારાસભ્ય રમણ વોરાએ ગાંધીનગર જીલ્લાના પાલેજ ખાતે સર્વે.૨૦૧ની ખેતીલાયક જમીન ખરીદી હતી. પૂનમભાઈ કાળાભાઈ, હિતેશભાઈ કાંતિલાલ અને રમણભાઈ ઈશ્વરભાઈના નામે આ જમીન ખરીદવામાં આવી હતી. તે વખતે રમણ વોરાએ ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું તેમાં ભાઈઓના નામ પણ ખોટા દર્શાવ્યા હતાં. આ ઉપરાંત પૂનમભાઈ કાળાભાઈ અને હિતેશભાઈ કાંતિલાલે હક જતો કર્યો છે તે વાતનો ઉલ્લેખ કરી પત્નિ-પુત્રોના નામે જમીન કરી દીધી હતી.

આ ઉપરાંત પૂર્વ મંત્રી રમણ વોરાએ પોતાના વિશ્વાસુ દિનેશ ભીખાભાઈને રૂા.૩.૦૭ કરોડમાં આ જમીન વેચી દીધી હતી. મોગસ ખેડૂત ખાતેદારનો વિવાદ ચાલી રહ્યો હતો તે સમયગાળા દરમિયાન જ આ જમીન બિનખેતી કરી દેવામાં આવી હતી. આ બિનખેતીની જમીન રૂા.૧૩.૫૫ કરોડમાં રમણ વોરાના પૂત્ર ભૂષણ વોરા અને સુહાય વોરાના નામે કરી ખરીદવામાં આવી હતી. વિવાદાસ્પદ જમીન શ્રી સરકાર ન થાય અને મૂળ માલિકને પરત કરવામાં આવે તે પહેલાં જ રમણ વોરાએ આખોય ખેલ કર્યો હતો. આ ખેતીલાયક જમીન ખરીદી ભોગસ ખેડૂત ખાતેદારના પ્રમાણપત્ર આધારે રમણ વોરાએ પોતાના મત વિસ્તાર ઇંડર શહેરથી નજીક દાવડમાં પણ જમીન ખરીદી હતી. આમ, ભાજપના પૂર્વ ધારાસભ્યએ કરિયાદ કરતાં રાજ્ય મહેસૂલ વિભાગે ગાંધીનગર કલેક્ટરને તપાસ કરવા આદેશ કર્યો છે જેથી ભોગસ ખેડૂત ખાતેદાર બનેલાં પૂર્વ મંત્રી રમણ વોરા માટે મુશ્કેલી ઉભી થઇ છે.

ગાંધીનગરમાં જીલ્લામાં ૬૨ જણાં બોગસ ખેડૂત ખાતેદાર બન્યાં, ૧૦ કરોડ દંડ વસૂલાયો

ખેડૂતોને મળતાં લાભ મેળવવા માટે બોગસ ખેડૂત ખાતેદાર બનવા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. ગાંધીનગર જિલ્લામાં જ વર્ષ ૨૦૨૪માં બોગસ ખેડૂત ખાતેદાર બન્યા હોવાની કુલ ૯૨ કરિયાદો સરકારને મળી હતી તે પૈકી તપાસના અંતે ૯૨ જણાં બોગસ ખેડૂત ખાતેદાર હોવાનું પુરવાર થયું છે. ગાંધીનગરમાં ૨૩, દહેગામમાં ૧૪, માણસામાં ૧ અને કલોલમાં ૨૪ જણાં બોગસ ખેડૂત ખાતેદાર બન્યાં છે. આ લોકો વિરુધ્ધ મહેસૂલ વિભાગે કાર્યવાહી કરી છે. એટલું જ નહીં, રૂા.૧૦ કરોડ દંડ વસૂલ્યો છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates