અમરેલીમાં 40 હજાર મણ ધાણાના અને રાજકોટમાં 1.08 લાખ મણ પાકના ઢગલા
05-03-2025

બેડી યાર્ડમાં દાઢે વળગેલા લાલચટ્ટાક મરચાની ધૂમ આવક
હોળી-ધુળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં મરચા, તુવેર, ચણા, ધાણા, જીરુ સહિત મસાલા અને ઘંઉં, મગફળી સહિત અનેકવિધ જણસીઓના મોટા ગંજ ખડકાઈ રહ્યા છે. અમરેલી યાર્ડમાં આજે પણ ધાણાની ૪૦,૦૦૦ મણ આવક સાથે અન્ય જણસીની આવક થઈ હતી તો રાજકોટના બેડી. વાર્ડમાં ૯૦૦ વાહનોમાં ચિક્કાર ભરાઈને આવેલી વિવિધ જણસીઓની ૧.૦૮. લાખ મણ કરતા વધુ આવક નોંધાઈ હતી.અમરેલીમાં આસપાસના જિલ્લાઓમાંથી પણ ખેડૂતો જણસી વેચવા આવતા હોય છે પરંતુ, એક જ વે-બ્રિજ હોવાથી ખેડૂતોએ બે બે દિવસ સુધી બેસી રહેવાની ફરજ પડે છે અને ૨ કિલોમીટર લાંબી લાઈનમાં ઉભા રહેવું પડે છે.
રાજકોટમાં ૯૦૦ વાહનોની લાંબી કતારો લાગી, અમરેલીમાં એક જ વેબ્રિજથી ૨ કિમીલાંબી લાઈનમાં ખેડૂતોને હેરાનગતિ ચાર મહિનાની મહેનત પર પાણી ફરી વળે તેવી સ્થિતિ
યાર્ડના સૂત્રો અનુસાર જણસીની આવક વધે ત્યારે આ સમસ્યા થોડા દિવસો માટે સર્જાતી હોય છે, અમે નવી જમીનમાં બીજો વે-બ્રિજ બનાવવા કાર્યવાહી હાથ ધરી છે. સવારે ૯ વાગ્યે હરાજી પૂર્ણ થઈ જાય છતાં ખેડૂતોએ સાંજના ૫ વાગ્યા સુધી વાહનોમાં બેસી રહેવું પડે છે. રાજકોટ યાર્ડના સૂત્રો અનુસાર આજે ૯૦૦ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી જેની ક્રમવીર ઉતરાઈ કરાવાઈ છે.
જેમાં ૧૮ હજાર મણ સુકા મરચા, ૧૮ હજાર મણ ચણા, ૨૨ હજાર મણ જીરુ, ૧૦ હજાર મણ તુવેર, ૨૯ હજાર મણ ઘઉં, ૧૪ હજાર મણ કપાસ સહિત ૧.૦૮ બાખ મણથી વધુ જણસીની આવક થઈ હતી.
ઘંઉં ટુકડાના ભાવમાં આંશિક થટાડા સાથે આજે પ્રતિ મણ રૂ।.૪૯૮-૫૭૪, કપાસના રૂ।. ૧૩૫૦-૧૪૮૦, તુવેરના રૂ।. ૧૧૨૦-૧૪૯૦, પીળા > ચેણાના ગત વર્ષથી વધારે રૂ।.૯૮૦થી ૧૦૦ મગફળીના ગત વર્ષથી નીચારૂ।.૯૦૦-૧૧૮૦, ધાણાના રૂ।.૧૧૬૦થી ૧૯૪૦, જીરુના સૌથી વધારે રૂ।.૩૯૫૦-૪૧૫૦ ભાવ મળ્યા હતા. સૌરાષ્ટ્રના લાલચટ્ટાક મરચાની હવે ધૂમ આવક શરુ થઈ છે. રાજકોટમાં આજે ૩.૯૦ લાખ કિલોની આવક નોંધાઈ હતી.
ઘઉંના ભાવ સાવ તળિયે બેસી જતાં ખેડૂતોની સ્થિતિ કફોડી
સૌરાષ્ટ્રની બજારમાં ઘઉંના ભાવ સાવ તળિયે બેસી જતા ધરતીપુત્રો કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા છે. એક મહિના પહેલા ૨૦ કિલોના રૂા.૬૦૦ થી ૭૦૦ હતા પરંતુ હવે તે ગગડીને ૪૫૦થી ૫૦૦ સુધી થઈ જતા ખેડૂતોની ચાર મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું છે. પરતીપુત્ર કિસાન ટ્રસ્ટ સૌરાષ્ટ્ર ઝોનના આગેવાને જણાવ્યું હતું કે, ખેડૂતોએ કડકડતી ઠંડીમાં ચાર મહિના પિયત આપીને મહામહેનતે ઘઉં તૈયાર કયી અને હવે બજારમાં ભાવ સાવ ઘટી જતાં તેમની હાલત કફોડી બની જવા સાથે સતત નુકસાની વેઠીને પાયમાલ થઈ રહ્યા છે