ખાનગી ડેરીઓએ પણ દૂધ મોંઘું કર્યું, દહીં, છાશ,શ્રીખંડ, મીઠાઈ મોંઘા થશે

02-05-2025

Top News

બે રૂ.ના ભાવ વધારાથી ગુજરાતીઓ પર રોજનો કરોડોનો બોજ

અમૂલ ડેરીએ ગઈકાલે દૂધમાં પ્રતિ લિટર રૂા.રનો ભાવ વધારો કર્યા બાદ ખાનગી ડેરીઓએ પણ દૂધમાં આ ભાવ વધારો લાગુ કર્યો છે. દૂષ એ મૂળભૂત ભાબત હોવ તેના ભાવવધતા અન્યચીજોના ભાવવધારાનું વિષચક્ર પણ શરુ થાય છે અને દૂધ પછી હવે ટૂંક સમયમાં જ હાલ પોમધખતા ઉનાળામાં જેની માંગ વિશેષ રહે છે તે શ્રીખંડ, મિઠાઈ, દહીં, માખણ,છાશના ભાવમાં વધારો થશે.

રાજકોટની ૫૦૦ ડેરીઓએ દૂધમાં લિટરે રૂા. ૨નો વધારો કર્યોઃ દહીંમાં રૂ।.૫ અને મીઠાઈ-શ્રીખંડમાં રૂ।. ૨૦નો તોળાતો વધારો

રાજકોટ ડેરી એસોસીએશનના સૂત્રો અનુસાર શહેરમાં આશરે ૫૦૦ જેટલી ડેરીઓ છે અને રાજકોટ ડેરીના દૈનિક ૩.૫૦ લાખ લિટર ઉપરાંત ખાનગી દૂધનું સરેરાશ વેચાણ થતું હોય છે. આજથી ખાનગી ડેરીઓએ દૂધમાં પ્રતિલિટર રૂા.રનો વધારો કર્યો છે અને તા.પના મળનારી બેઠકમાં પ્રતિ કિલો દહીંમાં રૂા.૫નો અને મિઠાઈ, શ્રીખંડમાં કિલોએ રૂા.૨૦ જેટલો વધારો થઈ શકે છે. વર્ષ પહેલા પણ જવારે અમૂલ ડેરીના ભાવ વધ્યા ત્યારે મિઠાઈ, દહી, છાશ વગેરેના ભાવ વધ્યાહતા, કારણ કે તેની પડતર કિંમત ઉંચી જતી હોય ડેરીઓના મૂળીને ૯ લાખ લિટરથી વધુ છે.

માત્ર રાજકોટ ઉપર દૂધમાં જ રૂા.૧૨ લાખનો બોજ વધાર્યો, ગુજરાતમાં આશરે ૭ કરોડનો

આમ, દૂધનો ભાવ પ્રતિ લિટરે માત્ર બે રૂપિયા વધાર્યાનું કહેવાય છે પરંતુ, દૂધ એ લોકોની દૈનિક જરૂરિયાત છે અને માત્ર રાજકોટ શહેરમાં જ આ ૨ રૂપિયાનો વધારો કૂલ ૧૨ લાખરૂા.નો થશે. જ્યારે ગુજરાતમાં અમુલ ડેરી ૩ કરોડ લિટરથી વધુ દૂધ એકત્ર કરે છે અને માત્ર તેનું વેચાણ જોઈએ તો પણ ગુજરાત પર ૯થી ૭ કરોડ વધુ ચૂકવવા પડશે અને આ ઉપરાંત મિઠાઈ, દહીં, છાશ, શ્રીખંડ વગેરેમાં લોકોએ વધારાના કરોડો ચૂકવવા પડશે.

 

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates