માળિયામિંયાણામાં 13 ગૌવંશની કતલનાં જઘન્ય કૃત્યથી જનાક્રોશ
11-01-2025

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ક્લેક્ટરને આવેદનપત્ર
માળિયા પિંચાણાનાં ચીખલીમાં 13 ગીવંશની કતલ કરી વિધર્થીઓએ ધન્ય કૃત્યને અંજામ આપ્યો છે, જેવી નારાજગી જોવા મળી રહી છે અને આજે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આવેદન પાઠવી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા તેમજ કતલખાના બંધ કરાવવાની માંગ કરવામાં આવી છે.
ગૌહત્યામાં સામેલ વિધર્મી શખ્સો સામે કડક કાર્યવાહી કરવા અને મોરબી જિલ્લામાં કતલખાના બંધ કરાવવા માગણી
વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કલેક્ટર મારફત મુખ્યમંત્રીને આવેદન પાઠવી જણાવ્યું છે કે, માળિયાના ચીખલી ગામે ગૌવંશની હિચકારી હત્યા વિધર્મીઓ દ્વારા કરવામાં આવી છે, જે અન્ય કૃત્યના અપરાધીઓ સામે આકરા પગલા લઈ સજા કરવામાં આવે તે જરૂરી છે. વર્ષોથી આવી ઘટનાઓ બની રહી છે. જેની ઉચ્ચ સ્તરે યોગ્ય તપાસ કરવી જરૂરી છે.
ચીખલી ગામે ૧૩ ગૌવંશની વિધર્મીઓ દ્વારા કતલ કરવામાં આવેલ છે. અને ૧૦૦ થી વધુ ગાયો મૂળ માલિકોને પરત મળી નથી. જે જોતા ગૌમાંસ તસ્કરીનું કોભાંડ વિધર્મી દ્વારા આજની તારીખે ચાલુ છે. મોટા પ્રમાવામાં ગૌ હત્યા અને માંસની તરફરી હોય તેવું વિદિત થાય છે. જેથી હિંદુ સમાજની લાગણી દુભાઈ છે. વિધર્મીઓ દ્વારા હીન ભાવનાથી આ કૃત્યો થઈ રહ્યા છે.
જેથી કૌભાંડમાં સામેલ લોકો સામે આકરા પગલા લેવાય અને આકરી સજા કરવામાં આવે તેવી માંગ કરી છે. ઉપરાંત જીલ્લામાં કતલખાનાઓ મોટા પ્રમાયામાં ચાલુ છે. મોટા પ્રમાણમાં જીવ હત્યા થાય છે. જેથી તમામ ક્તલખાના અને હાટડાઓ તેમજ રોડ પર ફાટી નીકળેલી માંસની દુકાનો તાત્કાલિક ધોરણે બંધ કરાવવા માંગ કરી છે.